Dhanteras 2025: 18 ઓક્ટોબર ધનતેરસ પર શનિ પ્રદોષ વ્રત નો યોગ, આ રાશિઓ માટે શરૂ થશે શુભ સમય

Dhanteras 2025: ધનતેરસ 2025 પર શનિ પ્રદોષ નો શુભ સંયોગ બની રહ્યો છે. શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનમાં આવશે નવો ઉજાસ, રોકાયેલા કામો થશે પૂર્ણ

by Zalak Parikh
Dhanteras 2025 to Bring Shani Pradosh Yoga, These Zodiac Signs to See Financial Gains

News Continuous Bureau | Mumbai

Dhanteras 2025: આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ ઉજવાશે. ખાસ વાત એ છે કે આ દિવસે શનિપ્રદોષ વ્રત નો યોગ પણ બની રહ્યો છે. આ સંયોગ કેટલાક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. શાસ્ત્રો અનુસાર, ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેરદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોનાં-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે

આ રાશિઓ માટે ધનતેરસ લાવશે શુભ સમાચાર

મેષ (Aries): શનિદેવની કૃપાથી રોકાયેલું ધન પાછું મળી શકે છે. નોકરીમાં પ્રમોશન કે પગારવધારાની શક્યતા. લોખંડ અને મશીનરીના વેપારીઓ માટે લાભદાયક સમય.

કન્યા (Virgo): જૂની યોજના સફળ થઈ શકે છે. જીવનસાથી તરફથી આર્થિક સહાય મળી શકે છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે યોગ્ય સમય.

તુલા (Libra): નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા લોકોને સફળતા મળશે. ઘરમાં શુભ કાર્યની શક્યતા. નાણાંકીય લાભના નવા રસ્તા ખુલશે.

ધન (Sagittarius): શનિદેવની કૃપાથી નોકરીમાં પ્રમોશન કે ટ્રાન્સફર થઈ શકે છે. પરિવારમાં ખુશીઓ વધશે. ધનતેરસે ખરીદેલી વસ્તુઓ શુભ પરિણામ આપશે.

આ સમાચાર પણ વાંચો : Diwali and Samudra Manthan: ધનતેરસ અને સમુદ્ર મંથન વચ્ચે છે ઘેરો સંબંધ, દિવાળીથી જોડાયેલી છે આ પૌરાણિક ઘટના

શનિપ્રદોષ યોગનો લાભ કેવી રીતે લો?

આ દિવસે શનિદેવની પૂજા કરવી, કાળાં તલનું દાન કરવું અને દીપ દાન કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મી અને ધન્વંતરી દેવની આરાધના કરવાથી આરોગ્ય અને ધન લાભ મળે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More