Delhi Blast: ખતરાની ઘંટી! દિલ્હી બ્લાસ્ટના તાર ૨ કાર સાથે જોડાયેલા, રાજધાનીમાં હજુ પણ ખતરો યથાવત

જૈશના આતંકી મોડ્યુલનો શંકાસ્પદ દિલ્હીમાં લાલ કિલ્લા પાસેની પાર્કિંગમાં બંને કાર એક સાથે હતી; લાલ કલરની ઇકો સ્પોર્ટ્સ કાર હજુ ફરતી હોવાથી હાઇ એલર્ટ જાહેર

by samadhan gothal
Delhi Blast ખતરાની ઘંટી! દિલ્હી બ્લાસ્ટના તાર ૨ કાર સાથે જોડાયેલા

News Continuous Bureau | Mumbai
Delhi Blast રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકી હુમલાનો ખતરો હજી ટળ્યો નથી. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે: શંકાસ્પદ આતંકવાદીઓ બે અલગ-અલગ કારમાં દિલ્હી પહોંચ્યા હતા, અને તેમાંથી લાલ કલરની એક ઇકો સ્પોર્ટ્સ કાર હજી પણ દિલ્હીમાં કોઈની નજર માં આવ્યા વિના ફરી રહી છે. આ ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બે કારોનું દિલ્હી પ્રવેશ અને પાર્કિંગ કનેક્શન

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ મોડ્યુલના શંકાસ્પદો પોલીસની દબાવણી વધતા બે કારમાં દિલ્હી આવ્યા હતા. હરિયાણા નંબરની એક કારનો ઉપયોગ લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરવા માટે કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી લાલ કલરની ઇકો સ્પોર્ટ્સ કાર (રજીસ્ટ્રેશન નંબર: ડીએલ-10 સીકે 045..) હજી પણ દિલ્હીમાં ફરતી જોવા મળી રહી છે. આ બંને કારો બદનામ બદરપુર બોર્ડરથી એક સાથે દિલ્હીમાં ઘૂસી હતી અને ચાંદની ચોક પાર્કિંગમાં પણ એક સાથે હતી.

ફરતો શંકાસ્પદ અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે લાલ ઇકો સ્પોર્ટ્સ કારમાં એક શંકાસ્પદ વ્યક્તિ સવાર હતો, જે i20 કારમાં સવાર શંકાસ્પદો સાથે વાતચીત પણ કરી રહ્યો હતો. આ ખુલાસા બાદ દિલ્હીમાં વીવીઆઇપી સ્થળો, ઐતિહાસિક ઇમારતો અને ભીડવાળા બજારોમાં સુરક્ષા વધારવામાં આવી છે અને વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળ પરથી મળેલા બે કારતૂસ સરકારી ન હોવાથી, સુરક્ષા એજન્સીઓ ની ચિંતા વધુ વધી છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન

લાપરવાહી અને મોડ્યુલનું કનેક્શન

સુરક્ષા એજન્સીઓની શરૂઆતની તપાસમાં આ બ્લાસ્ટને ડર અને બેદરકારીનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનું આ મોડ્યુલ હરિયાણા, યુપી, જમ્મુ-કાશ્મીર અને દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું. ડૉ. ઉમર પોતાના સાથીદારોની ધરપકડના ડરથી દિલ્હીમાં આવી ગયો હતો અને સંભવતઃ આત્મઘાતી બોમ્બર બનીને પોતાને ઉડાવી દીધો હતો. જોકે, ફરીદાબાદમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત થયા છતાં દિલ્હી પોલીસની લાપરવાહી પર સવાલો ઊભા થયા છે, કારણ કે ડો. ઉમર સરળતાથી દિલ્હીમાં ઘૂસી ગયો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More