India-Oman Trade Deal: ભારત-ઓમાન ટ્રેડ એગ્રીમેન્ટ: 99% વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ, જાણો કયા સેક્ટરને થશે સૌથી વધુ ફાયદો?

મસ્કત ખાતે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ઓમાનના વાણિજ્ય મંત્રીએ પીએમ મોદી અને સુલતાન હૈથમ બિન તારિકની હાજરીમાં આ મહત્વપૂર્ણ કરાર પર મહોર મારી હતી.

by aryan sawant
India-Oman Trade Deal ભારત-ઓમાન ટ્રેડ એગ્રીમેન્ટ 99 વસ્તુઓ પર કસ્ટમ ડ્યુ

News Continuous Bureau | Mumbai

India-Oman Trade Deal વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત અને ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (India-Oman CEPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ ઓમાન ભારતમાંથી નિકાસ થતી ૯૯% થી વધુ વસ્તુઓ પરની આયાત ડ્યુટી (ટેરિફ) નાબૂદ કરશે. આ ડીલથી ભારતના ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ખાસ કરીને આયુર્વેદ ક્ષેત્રને મોટો ફાયદો થવાની આશા છે.

કયા ક્ષેત્રોને થશે સૌથી વધુ ફાયદો?

ભારત અને ઓમાન વચ્ચેની આ ઐતિહાસિક ટ્રેડ ડીલ ભારતના શ્રમ-સઘન ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ કરાર હેઠળ જેમ્સ એન્ડ જ્વેલરી, કાપડ (Textiles), ચામડું, ફૂટવેર, પ્લાસ્ટિક, ફર્નિચર અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ જેવી મહત્વની વસ્તુઓની નિકાસ હવે સંપૂર્ણપણે ટેરિફ ફ્રી એટલે કે ટેક્સ વગર કરી શકાશે. આ ઉપરાંત, ઓમાનમાં ભારતીય આયુર્વેદિક દવાઓ અને ‘આયુષ’ ક્ષેત્ર માટે એક નવું અને વિશાળ બજાર ખૂલશે, જે ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને વૈશ્વિક ઓળખ અપાવશે. સર્વિસ સેક્ટરમાં પણ આ કરાર મહત્વની ભૂમિકા ભજવશે, જેનાથી ભારતીય આઈટી (IT) અને અન્ય પ્રોફેશનલ સર્વિસિસ આપતી કંપનીઓને ઓમાનમાં તેમનો બિઝનેસ વિસ્તારવાની સુવર્ણ તક મળશે.

 ઓમાન – પશ્ચિમ એશિયાનું પ્રવેશદ્વાર

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ ડીલના વ્યાપક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ઓમાન ભારત માટે પશ્ચિમ એશિયાનું એક વ્યૂહાત્મક ‘પ્રવેશદ્વાર’ સાબિત થશે. ઓમાનનું ભૌગોલિક સ્થાન ભારતને અન્ય ખાડી દેશો (GCC), પૂર્વ યુરોપ, મધ્ય એશિયા અને આફ્રિકાના બજારો સુધી પહોંચવા માટે એક મજબૂત એન્ટ્રી પોઈન્ટ પૂરું પાડે છે. આ કરારની બીજી મોટી વિશેષતા એ છે કે હવે ભારતીય કંપનીઓ ઓમાનના સર્વિસ સેક્ટરમાં ૧૦૦% સીધું વિદેશી રોકાણ (FDI) કરી શકશે, જેનાથી બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી નવા શિખરો સર કરશે.

ભારત-ઓમાન વેપારના આંકડા

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભારત અને ઓમાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૦.૬૧ અબજ ડોલરના સ્તરે પહોંચ્યો હતો, જે બંને દેશોની આર્થિક મજબૂતી દર્શાવે છે. આ વેપારમાં ભારતે ઓમાનમાં ૪.૦૬ અબજ ડોલરની નિકાસ કરી હતી, જેમાં સૌથી મોટો હિસ્સો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (૩૫.૧%) અને પ્રીમિયમ બાસમતી ચોખા (૩.૬%)નો રહ્યો હતો. સામે પક્ષે, ભારતે ઓમાનથી ૬.૫ અબજ ડોલરની આયાત કરી હતી, જેનો મુખ્ય આધાર ઊર્જા જરૂરિયાતો હતી, કારણ કે કુલ આયાતમાં ૩૮% હિસ્સો માત્ર ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે ઓમાન ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્વનો ભાગીદાર દેશ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’

 કૃષિ ક્ષેત્રને રક્ષણ

Text: ભારતે આ ટ્રેડ ડીલમાં પોતાના ખેડૂતોના હિતોનું ધ્યાન રાખ્યું છે. ડેરી ઉત્પાદનો, ચા, કોફી, રબર અને તમાકુ જેવા સંવેદનશીલ કૃષિ ઉત્પાદનોને આ કરારની મુક્તિ યાદીમાં રાખવામાં આવ્યા છે, જેથી સ્થાનિક બજાર પર તેની વિપરીત અસર ન પડે. ઓમાનમાં વસતા આશરે ૬.૭૫ લાખ ભારતીયો માટે પણ આ કરાર ગૌરવ સમાન છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More