Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.

મસ્જિદ પાસે દબાણ હટાવવા દરમિયાન થયો હતો પથરાવ; બોડી કેમેરાની મદદથી આરોપીઓ ઓળખાયા, હિંસા ભડકાવવા બદલ સાંસદ મોહિબુલ્લાહ નદવી પોલીસ રડારમાં.

by aryan sawant
Turkman Gate Violence Case હિંસા પાછળ રાજકીય

News Continuous Bureau | Mumbai

Turkman Gate Violence Case  જૂની દિલ્હીના તુર્કમાન ગેટ પાસે પોલીસ પર થયેલા હુમલાના કેસમાં દિલ્હી પોલીસે 30 લોકોની ઓળખ કરી લીધી છે. ફેૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે અતિક્રમણ વિરોધી બુલડોઝર એક્શન દરમિયાન ભીડે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર ભારે પથરાવ કર્યો હતો. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હવે અન્ય 30 આરોપીઓને પકડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે.

સપા સાંસદ પર ભીડને ઉશ્કેરવાનો આરોપ

આ હિંસાના જે વીડિયો સામે આવ્યા છે, તેમાં રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવી ઘટનાસ્થળે હાજર જોવા મળ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઉચ્ચ અધિકારીઓની વિનંતી છતાં તેઓ ત્યાંથી હટ્યા નહોતા અને તેમના પર ભીડને ઉશ્કેરવાનો આરોપ છે. દિલ્હી પોલીસ હવે તપાસમાં સામેલ થવા માટે સપા સાંસદને ટૂંક સમયમાં સમન્સ મોકલશે.

પોલીસના બોડી કેમેરાથી ખૂલ્યા તોફાનીઓના રાઝ

પોલીસે ઓળખ માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. પોલીસકર્મીઓ દ્વારા પહેરવામાં આવેલા બોડી કેમેરા અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદથી પથરાવ કરનારા તોફાનીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત, દિલ્હી પોલીસ યૂટ્યુબર સલમાનની પણ શોધ કરી રહી છે, જેણે સોશિયલ મીડિયા દ્વારા લોકોને એકઠા કરીને માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા પણ હિંસા ભડકાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Raj Thackeray: બિનહરીફ ઉમેદવારો પર રાજ ઠાકરે લાલઘૂમ: “લોકશાહીની મજાક બંધ કરો”, ઉદ્ધવ ઠાકરેએ પણ સત્તાધારી પક્ષ પર કર્યા આકરા પ્રહાર.

મસ્જિદ પાસે અતિક્રમણ દૂર થયા બાદ હવે મેદાન જેવો નજારો

તુર્કમાન ગેટની જે સાંકડી ગલીઓમાં પહેલા ચાલવું પણ મુશ્કેલ હતું, ત્યાં હવે અતિક્રમણ હટ્યા બાદ વિશાળ જગ્યા ખાલી જોવા મળી રહી છે. ફેૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે બનેલા ડાયગ્નોસ્ટિક સેન્ટર અને બારાત ઘર તોડી પાડવામાં આવ્યા છે. હાલમાં 7-8 જેસીબી મશીન રાત-દિવસ મલબો હટાવવાનું કામ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી બે થી ત્રણ દિવસમાં તમામ મલબો સાફ કરી દેવામાં આવશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More