News Continuous Bureau | Mumbai
Mumbai Metro 2B Update Mumbai Metro 2B Update: મુંબઈ મેટ્રો લાઇન 2B (ડીએન નગરથી માનખુર્દ) ના નિર્માણમાં એક મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. વાકોલા નાળા પર બની રહેલા 130 મીટર લાંબા કેબલ-સ્ટેડ બ્રિજ પર અંતિમ પાયલોન (ખાંભો) બેસાડી દેવામાં આવ્યો છે. આ બ્રિજનો આકાર ‘શૂન્ય’ જેવો છે, જે ભારતની વિશ્વને સૌથી મોટી ભેટ ‘શૂન્ય’ ના શોધક આર્યભટ્ટને સમર્પિત કરવામાં આવ્યો છે. આ બ્રિજ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ મુંબઈની સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક પણ બનશે.આ પ્રોજેક્ટમાં અત્યંત જટિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજને સંતુલિત કરવા માટે 40 મીટર ઊંચા સ્ટીલના પાયલોનનો આધાર લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મેટ્રો લાઇન 2B ના પાંચ સ્ટેશનો મુસાફરો માટે ખુલ્લા મુકવામાં આવશે, ત્યારે આ બ્રિજ પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટીમાં મોટો ફાળો આપશે.
‘શૂન્ય પુલ’ ની એન્જિનિયરિંગ ખાસિયતો
લંબાઈ અને ડિઝાઈન: આ બ્રિજ 130 મીટર લાંબો છે અને કેબલ-સ્ટેડ પ્રકારનો છે. તેનો મુખ્ય સ્પૅન વાકોલા નાળા પર 80 મીટરનો છે.
સ્ટીલનો ઉપયોગ: બ્રિજની મજબૂતી માટે કુલ 750 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નિર્માણનું પડકાર: ઓન-સાઈટ લગભગ 5.9 કિલોમીટરનું જટિલ વેલ્ડિંગ કામ કરવામાં આવ્યું છે.
ભારે મશીનરી: બ્રિજના અંતિમ ‘ક્રાઉન એલિમેન્ટ’ ને બેસાડવા માટે 750 ટન અને 350 ટન ક્ષમતાની બે સુપર-લિફ્ટ ક્રેનનો ઉપયોગ કરાયો હતો.
આ સમાચાર પણ વાંચો : Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની સીધી કાર્યવાહીની ધમકી; કયા દેશ પર અમેરિકા ત્રાટકશે? જાણો આંતરરાષ્ટ્રીય રાજકારણના સૌથી મોટા સમાચાર
મુસાફરોને શું ફાયદો થશે?
મેટ્રો લાઇન 2B શરૂ થવાથી મુંબઈના પશ્ચિમ છેડે આવેલા ડીએન નગર (અંધેરી) થી પૂર્વ છેડે ચેમ્બુર અને માનખુર્દ સુધીની મુસાફરી અત્યંત ઝડપી બનશે. શૂન્ય પુલ પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટીમાં આવતા અવરોધોને દૂર કરશે. મેટ્રો લાઈનના પાંચ સ્ટેશનો લગભગ તૈયાર છે અને મેટ્રો રેલ સુરક્ષા કમિશન (CMRS) ની મંજૂરી મળતા જ તેને જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે.