Thyroid and Perfume: પર્ફ્યુમ વાપરનારા સાવધ: ગરદન પર સ્પ્રે કરવાથી થાઈરોઈડ ગ્રંથિને થઈ શકે છે નુકસાન; જાણો તેના આ કુદરતી વિકલ્પો.

Thyroid and Perfume: પર્ફ્યુમમાં રહેલા ‘એન્ડોક્રાઈન ડિસરપ્ટિંગ કેમિકલ્સ’ હોર્મોન બેલેન્સ બગાડે છે; સીધા ત્વચા પર સ્પ્રે કરવાને બદલે કપડાં પર વાપરવાની સલાહ.

by Akash Rajbhar
Applying perfume on neck and wrist may trigger Thyroid issues; Baba Ramdev suggests natural alternatives to chemical deodorants.

News Continuous Bureau | Mumbai

 મેડિકલ સાયન્સ ચેતવણી આપે છે કે આજના મોટાભાગના પર્ફ્યુમ કુદરતી ફૂલોમાંથી નહીં પણ કેમિકલ ફોર્મ્યુલાથી બને છે. ગરદનની નીચે તરત જ થાઈરોઈડ ગ્રંથિ હોય છે, જે અત્યંત સંવેદનશીલ છે. પર્ફ્યુમમાં રહેલા ઝેરી કેમિકલ્સ ત્વચા દ્વારા શોષાઈને હોર્મોનલ સિસ્ટમમાં દખલ કરે છે, જેને ડોક્ટરો Endocrine Disrupting Chemicals કહે છે.ભારતમાં ૪.૨ કરોડથી વધુ લોકો થાઈરોઈડથી પીડિત છે, અને કેમિકલયુક્ત સુગંધનો વધુ પડતો ઉપયોગ આ જોખમમાં વધારો કરી શકે છે.

એક્સપર્ટ ની સલાહ: ડિયોની જગ્યાએ શું વાપરવું?

એક્સપર્ટ ના મતે, કેમિકલયુક્ત ડિયોડ્રન્ટને બદલે આ કુદરતી ઉપચારો અપનાવવા જોઈએ:
દેશી અત્તર: કેમિકલ ફ્રી અને કુદરતી તેલમાંથી બનેલા અત્તરનો ઉપયોગ કરો.
એલોવેરા અને તુલસી: શરીરની દુર્ગંધ દૂર કરવા માટે સ્નાન કર્યા પછી એલોવેરા જેલ લગાવી શકાય છે.
કપડાં પર ઉપયોગ: જો પર્ફ્યુમ વાપરવું જ હોય, તો તેને સીધું ત્વચા પર લગાવવાને બદલે કપડાં પર થોડે દૂરથી સ્પ્રે કરો.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.

થાઈરોઈડના લક્ષણો અને યોગ દ્વારા ઉપચાર

થાઈરોઈડ અસંતુલિત થવાથી થાક, ચિંતા, વાળ ખરવા, ઉંઘમાં ઘટાડો અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો દેખાય છે. સ્વામી રામદેવ થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે ઉજ્જયી પ્રાણાયામ અને નીચેના આસનો કરવાની સલાહ આપે છે: ૧. સર્વાંગાસન ૨. હલાસન ૩. મત્સ્યાસન ૪. સૂર્ય નમસ્કાર ૫. ભુજંગાસન.

ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયો

થાઈરોઈડના દર્દીઓ માટે આયુર્વેદમાં પણ અસરકારક ઉપાયો છે:
ધાણાનું પાણી: આખા ધાણાને રાત્રે પલાળી સવારે તેનું પાણી પીવાથી થાઈરોઈડમાં રાહત મળે છે.
અશ્વગંધા: રાત્રે ગરમ દૂધ સાથે અશ્વગંધા લેવાથી હોર્મોન્સ સંતુલિત રહે છે.
ત્રિફળા: દરરોજ રાત્રે એક ચમચી ત્રિફળા ચૂર્ણનું સેવન પાચન અને થાઈરોઈડ બંને માટે ઉત્તમ છે.
ફ્રેગ્રન્સ ફ્રી પ્રોડક્ટ્સ: બજારમાં મળતા સુગંધ રહિત (fragrance-free) કોસ્મેટિક્સનો ઉપયોગ કરવાનું પસંદ કરો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More