Sharad Pawar on Sunetra Pawar: સુનેત્રા પવારના શપથગ્રહણ પર શરદ પવારની સ્પષ્ટતા; NCP ના વિલીનીકરણ ને લઈને કહી આવી વાત

Sharad Pawar on Sunetra Pawar: અજીત પવાર અને જયંત પાટીલ વચ્ચે ૪ મહિનાથી ચાલી રહી હતી સકારાત્મક ચર્ચા, ૧૨ તારીખે થવાની હતી મોટી જાહેરાત; અજીત પવારના નિધન બાદ વિલીનીકરણમાં અવરોધ - શરદ પવાર.

by Akash Rajbhar
Sharad Pawar Breaks Silence Mergers Talks Halted After Ajit Pawar’s Death; Claims No Knowledge of Sunetra Pawar’s DCM Oath

News Continuous Bureau | Mumbai

 Sharad Pawar on Sunetra Pawar: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદ માટે સુનેત્રા પવારના નામની જાહેરાત બાદ શરદ પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. બારામતીમાં પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે, “સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવાના છે તે અંગે મને કોઈ માહિતી નથી. આ અંગે તેમની પાર્ટીએ જ નિર્ણય લીધો હશે અને પ્રફુલ પટેલ કે સુનીલ તટકરેએ આ બાબતે પહેલ કરી હશે.” શરદ પવારે વધુમાં જણાવ્યું કે, અજીત પવારના અસ્થિ વિસર્જન સુધી સુનેત્રા પવાર અમારી સાથે જ હતા, પરંતુ તેમણે નાયબ મુખ્યમંત્રી પદ અંગે કોઈ વાત કરી નહોતી. અજીત પવારના અકાળે અવસાનથી પરિવાર ઊંડા આઘાતમાં છે અને આ સ્થિતિમાં પરિવારની નવી પેઢી તેમની વિરાસતને આગળ ધપાવશે તેવો મને વિશ્વાસ છે.

વિલીનીકરણની વાતો હવે અટકી ગઈ?

સૌથી મહત્વનો ખુલાસો કરતા શરદ પવારે કહ્યું કે, “બંને NCP (શરદ પવાર જૂથ અને અજીત પવાર જૂથ) ને ફરી સાથે લાવવા માટે છેલ્લા ૪ મહિનાથી જયંત પાટીલ અને અજીત પવાર વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા સકારાત્મક દિશામાં હતી અને ૧૨ તારીખે તેની જાહેર જાહેરાત પણ થવાની હતી. પરંતુ હવે અજીત પવારના નિધન બાદ આ ચર્ચાઓમાં અવરોધ ઉભો થયો હોય તેમ મને જણાય છે.”

આ સમાચાર પણ વાંચો : Gold-Silver Price Crash:સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીનો પરપોટો ફૂટ્યો, એક જ દિવસમાં ₹1 લાખ સસ્તી; સોનાના ભાવમાં પણ થયો આટલા નો ઘટાડો

પવાર પરિવારમાં નારાજગીના સૂર

સૂત્રોના જણાવ્યા અનુસાર, અજીત પવારના અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જનના તુરંત બાદ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઉતાવળથી પવાર પરિવારમાં ભારે નારાજગી છે. પરિવારના અન્ય સભ્યો ઈચ્છતા હતા કે થોડા દિવસો રાહ જોવી જોઈએ. શરદ પવારને જાણ કર્યા વગર જ સુનેત્રા પવાર અને તેમના પુત્ર ગઈકાલે રાત્રે બારામતીથી મુંબઈ રવાના થઈ ગયા હતા, જેનાથી પરિવારના સંબંધોમાં ખટાશ આવવાની શક્યતા છે.

અજીત પવારને શ્રદ્ધાંજલિ

અજીત પવારને યાદ કરતા શરદ પવારે કહ્યું કે, “તેઓ એક સક્ષમ અને પ્રતિબદ્ધ નેતા હતા જેમણે ખરેખર જનતા માટે કામ કર્યું. તેઓ લોકોની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજતા હતા અને હંમેશા ન્યાય મળે તેવો પ્રયાસ કરતા હતા. તેમના જવાથી રાજકારણમાં જે શૂન્યાવકાશ સર્જાયો છે તે ભરવો મુશ્કેલ છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More