Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા

Dhurandhar Movie Scene: આર. માધવને કર્યો ચોંકાવનારો ખુલાસો; મુંબઈ હુમલાના સીનનું શૂટિંગ પત્યા બાદ કલાકારો પોતાનું દુઃખ રોકી શક્યા નહીં.

by Zalak Parikh
R Madhavan Reveals Akshaye Khanna and Arjun Rampal Cried After Filming 26/11 Scene in Dhurandhar

News Continuous Bureau | Mumbai

Dhurandhar Movie Scene: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન બનેલી એક હૃદયસ્પર્શી ઘટનાનો ખુલાસો આર. માધવને કર્યો છે. માધવને જણાવ્યું કે, 2008માં થયેલા 26/11 મુંબઈ આતંકી હુમલાના સીનનું શૂટિંગ કર્યા બાદ તેના સહ-કલાકારો અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પોતાના ઈમોશન્સ પર કાબૂ રાખી શક્યા નહોતા અને કેમેરા બંધ થયા પછી રડી પડ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં માધવને સેટ પરના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે અક્ષય અને અર્જુન ફિલ્મમાં પાકિસ્તાની પાત્રો ભજવી રહ્યા હતા. એક સીનમાં તેમના પાત્રોને હુમલાની ઉજવણી કરતા બતાવવામાં આવ્યા હતા. આ સીન પૂર્ણ થયા પછી, બંને કલાકારો અંદરથી એટલા હચમચી ગયા હતા કે તેઓ કંટ્રોલ ગુમાવી બેઠા અને રડવા લાગ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!

વાસ્તવિક ઘટનાઓની યાદો તાજી થઈ  

માધવને વધુમાં ઉમેર્યું કે, આ માત્ર સ્ક્રિપ્ટેડ એક્ટિંગ નહોતી. સેટ પર હાજર ઘણા લોકોએ તે ભયાનક સમયને જીવ્યો છે અને તેની અસરો જોઈ છે. આ સીન કરતી વખતે તે જૂની અને દર્દનાક યાદો તાજી થઈ ગઈ હતી. શૂટિંગ પૂરું થયા બાદ સેટ પર લાંબા સમય સુધી સન્નાટો છવાઈ ગયો હતો. આ ક્ષણે કલાકારોને અહેસાસ કરાવ્યો કે ‘ધુરંધર’ માત્ર એક થ્રિલર નથી પણ ઈતિહાસના એક ઘાને રજૂ કરતી ફિલ્મ છે.

 

View this post on Instagram

 

A post shared by Cricflix India (@cricflixindia)


 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી ‘ધુરંધર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મની વાર્તા એક ભારતીય ઈન્ટેલિજન્સ ઓફિસર ની આસપાસ ફરે છે જે કરાચીમાં અન્ડરકવર રહીને આતંકી નેટવર્કનો નાશ કરે છે. ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ હવે તેનો બીજો ભાગ ‘ધુરંધર 2’ આગામી 19 માર્ચે રિલીઝ થવા જઈ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More