Patience Has Run Out:ભારતની એન્ટ્રીથી પાકિસ્તાન ફફડ્યું! રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સનસનીખેજ આરોપ- ‘તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું’..

Patience Has Run Out: ‘હવે અમારા સબ્રની હદ પાર થઈ ગઈ છે’ - ખ્વાજા આસિફે ભારત અને તાલિબાનને આપી ધમકી; સીમા પર રાતભર ચાલેલા બોમ્બમારા બાદ પાકિસ્તાનનું આક્રમક વલણ.

by Akash Rajbhar
Patience Has Run Out’ Pakistan Defense Minister Khawaja Asif Accuses Taliban of Becoming India's Proxy; Threatens Direct Action Amid Border War.

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે રાતભર ચાલેલી ભીષણ જંગ બાદ પાકિસ્તાન સરકાર હવે ભારત પર દોષારોપણ કરી રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક નિવેદનમાં જણાવ્યું છે કે અફઘાનિસ્તાન હવે ભારતનું ‘પ્રોક્સી’ બની ગયું છે અને ત્યાંથી આતંકવાદ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પાકિસ્તાન તરફથી જડબાતોડ એક્શન લેવામાં આવશે.ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો કે નાટો (NATO) સેના ગયા પછી આશા હતી કે તાલિબાન શાંતિ જાળવશે, પરંતુ તેમણે અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધી છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાને ૫૦ વર્ષ સુધી અફઘાનીઓને આશરો આપ્યો, પરંતુ હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે.

‘ભારતનું પ્રોક્સી બની ગયું છે તાલિબાન’

પાકિસ્તાની મંત્રીએ ભારતને આ યુદ્ધમાં ઘસડતા કહ્યું કે, “અમે ઘણી ડિપ્લોમસી કરી, પરંતુ તાલિબાન હવે ભારતનું પ્રોક્સી બની ગયું છે. તેઓ દુનિયાભરના આતંકીઓને ભેગા કરીને પાકિસ્તાન પર નિશાન સાધી રહ્યા છે.” તેમણે ભારત પર આડકતરો આરોપ લગાવ્યો કે ભારત અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાનને અસ્થિર કરવા માટે કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan-Afghanistan War:પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાન: મધરાતે એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પાકિસ્તાની સેનાને પાઠ ભણાવ્યો? જાણો અત્યાર સુધીના મોટા અપડેટ્સ.

‘અમારા સબ્રની હદ હવે પૂરી થઈ ગઈ’

ખ્વાજા આસિફે આકરા શબ્દોમાં કહ્યું કે, “પાકિસ્તાનની સેના સમુદ્ર પારથી નથી આવી, અમે તમારા પડોશી છીએ અને તમારી અસલિયત સારી રીતે જાણીએ છીએ. અત્યાર સુધી પાકિસ્તાનનો રોલ પોઝિટિવ રહ્યો છે, પરંતુ હવે અમારા સબ્રની હદ પાર થઈ ગઈ છે અને આ ખુલ્લો મુકાબલો છે.” તેમણે જણાવ્યું કે પાકિસ્તાન હવે સીધું એક્શન લેશે અને કોઈ પણ આક્રમકતા સહન કરવામાં આવશે નહીં.

તાલિબાનનો પાકિસ્તાનને વળતો જવાબ

બીજી તરફ, તાલિબાનના પ્રવક્તાએ પાકિસ્તાની એરફોર્સના હુમલાને ‘કાયરતાપૂર્ણ’ ગણાવ્યો છે. તાલિબાનનું કહેવું છે કે પાકિસ્તાને કાબુલ, કંધાર અને પતિયામાં રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. જોકે, તાલિબાને દાવો કર્યો છે કે આ હુમલામાં તેમને કોઈ જાનહાનિ થઈ નથી અને તેઓ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More