Harish Rana Passive Euthanasia: ‘હવે શાંતિથી જા, બેટા…’: હરીશ રાણાની અંતિમ વિદાયનો વીડિયો જોઈ દેશની આંખો ભીની; ૧૩ વર્ષના સંઘર્ષ બાદ મળશે કાયમી મુક્તિ

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ AIIMS માં લાઈફ સપોર્ટ હટાવાયો: 13 વર્ષથી કોમામાં રહેલા હરીશની માતાએ કપાળ પર તિલક લગાવી આપી વિદાય, ન્યાયાધીશો પણ ભાવુક થયા.

by samadhan gothal
Harish Rana Passive Euthanasia ‘હવે શાંતિથી જા, બેટા...’ હરીશ રાણાની અંતિમ વિદાયનો

News Continuous Bureau | Mumbai
Harish Rana Passive Euthanasia સર્વોચ્ચ અદાલતે 32 વર્ષીય હરીશ રાણાને ‘નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ’ (Passive Euthanasia) ની પરવાનગી આપ્યા બાદ, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેને અંતિમ વિદાય આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી ‘વેજીટેટિવ સ્ટેટ’ (કોમા) માં હતો. તેના વૃદ્ધ માતા-પિતાએ પોતાના પુત્રને આ લાચાર અવસ્થામાં જોવાને બદલે તેને મુક્તિ અપાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.કોર્ટની પરવાનગી મળ્યા બાદ હરીશને AIIMS લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબી દેખરેખ હેઠળ તેનું લાઈફ સપોર્ટ સિસ્ટમ ધીરે-ધીરે હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

માતાનો લાડ અને ‘ક્ષમા’ નો બોધ: વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર હરીશનો એક અત્યંત ભાવુક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં હરીશ બેડ પર સૂતેલો જોવા મળે છે અને એક મહિલા (સંભવતઃ તેની માતા) તેના કપાળ પર ચંદનનો તિલક લગાવી રહી છે. તે હરીશના માથા પર હાથ ફેરવતા ગમગીન અવાજે કહે છે, “બધાને માફ કરી દેજે… બધાની માફી માંગી લેજે… હવે જા બેટા, શાંતિથી જા…” આ દ્રશ્ય જોઈને હોસ્પિટલનો સ્ટાફ અને દેશભરના લોકોની આંખો ભીની થઈ ગઈ છે.

13 વર્ષનો સંઘર્ષ અને 2013ની તે કાળી રાત

હરીશ રાણા 2013 માં જ્યારે ચંદીગઢમાં વિદ્યાર્થી હતો, ત્યારે તે ઇમારતના ચોથા માળેથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં તેના મગજની નસો સુકાઈ ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારથી તે હલનચલન કરવા કે બોલવા માટે અસમર્થ હતો. તેના માતા-પિતાએ 13 વર્ષ સુધી તેની ખૂબ સેવા કરી, પરંતુ અંતે તેની પીડા જોઈ ન શકતા તેમણે લાઈફ સપોર્ટ હટાવવાની વિનંતી કરી હતી. 2018 માં સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને માન્યતા આપી હતી, પરંતુ તેની પ્રત્યક્ષ અમલીકરણની આ ભારતની પહેલી ઘટના છે.

આ સમાચાર પણ વાંચો : Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ

અદાલતનું અવલોકન: ધૈર્ય અને સમર્પણની પ્રશંસા

આ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશો પણ ભાવુક થયા હતા. કોર્ટે અવલોકન કર્યું કે કોઈ પણ સંતાનને આવી અનંત પીડામાં લાંબા સમય સુધી રાખી શકાય નહીં. કોર્ટે હરીશના માતા-પિતાના 13 વર્ષના ધૈર્ય અને સમર્પણના પણ વખાણ કર્યા હતા. AIIMS ના ડોક્ટરોને સૂચના આપવામાં આવી છે કે તબક્કાવાર રીતે લાઈફ સપોર્ટ હટાવવામાં આવે જેથી દર્દીને વધુ તકલીફ ન પડે. આ કિસ્સાએ ભારતમાં ‘રાઈટ ટુ ડાઈ વિથ ડિગ્નિટી’ (ગૌરવ સાથે મરવાનો અધિકાર) પર ફરી એકવાર ચર્ચા જગાવી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More