News Continuous Bureau | Mumbai
Sion Panvel Highway Expansion:શીવ-પનવેલ હાઈવે પર મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ એક મહત્વકાંક્ષી યોજના હાથ ધરી છે. હાઈવે પર આવેલા અત્યંત ભીડભાડ વાળા ‘ટી-જંકશન’ પર ટ્રાફિકની લાઇન ઓછી કરવા માટે ફ્લાયઓવર પર બે વધારાના પેરેલલ માર્ગો બાંધવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નવા માર્ગોને કારણે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડથી વાશી અને પુણે તરફ જતો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે.
પ્રવાસના સમયમાં ૧૫ મિનિટનો ઘટાડો થશે
ટી-જંકશન એ શીવ-પનવેલ હાઈવેનો મુખ્ય પોઈન્ટ છે જ્યાંથી પૂર્વ મુંબઈ, નવી મુંબઈ અને પુણે તરફ જતી ગાડીઓનું ભારણ સૌથી વધુ હોય છે. પાલિકાના આ વિસ્તરણ પ્રોજેક્ટ બાદ પ્રવાસીઓનો મુસાફરીનો સમય આશરે ૧૫ મિનિટ જેટલો ઘટી જશે. આ નવા માર્ગો ઘાટકોપર-માનખુર્દ અને વાશી વચ્ચે સીધો સંપર્ક પૂરો પાડશે, જેથી ટી-જંકશન પર લાગતી વાહનોની લાંબી કતારો ભૂતકાળ બની જશે.
આ સમાચાર પણ વાંચો: LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
કેવી રીતે હશે આ ચાર પ્રસ્તાવિત માર્ગો?
મહાનગરપાલિકાએ કુલ ચાર માર્ગો બનાવવાની યોજના તૈયાર કરી છે:
૧. પહેલો માર્ગ: ઘાટકોપર અને માનખુર્દના પ્રવાસીઓને વાશી તરફ લઈ જશે.
૨. બીજો માર્ગ: વાશી તરફથી આવતા ટ્રાફિકને ઘાટકોપર તરફ સરળતાથી ડાયવર્ટ કરશે.
૩. ત્રીજો માર્ગ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી મહારાષ્ટ્ર નગર અને હાર્બર લાઇન પરના ચિત્તા કેમ્પ સુધીનો રસ્તો ટ્રાફિકમુક્ત કરશે.
૪. ચોથો માર્ગ: ચિત્તા કેમ્પથી માનખુર્દ અને શીવ-પનવેલ હાઈવે તરફ જનારાઓને ફાયદો કરાવશે.
જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્ય
આ પ્રોજેક્ટના પહેલા બે માર્ગોનું કામ ઓક્ટોબર ૨૦૨૪માં શરૂ થયું હતું અને હાલમાં પાયાનું (Foundational) કામ ચાલી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ મુજબ, આ બે માર્ગો જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થઈ જશે. જોકે, અન્ય બે માર્ગો માટે રેલવે વિભાગ પાસેથી હજુ એનઓસી (NOC) મળવાની બાકી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ચિત્તા કેમ્પ અને મહારાષ્ટ્ર નગર વિસ્તારના રહેવાસીઓને પણ હાઈવે પર સીધો પ્રવેશ મળી શકશે.
Five Keywords – Sion Panvel Highway Expansion,Mumbai Traffic Update 2026,BMC Infrastructure Projects,T-Junction Flyover Mumbai,Ghatkopar ,Mankhurd, Link Road