Indian Airlines Plan B Middle East: મિડિલ ઈસ્ટ એરસ્પેસમાં જોખમ વધતા ભારતીય એરલાઇન્સની છલાંગ, આસિયાન દેશો માટે કનેક્ટિવિટી વધારવાની તૈયારી

યુદ્ધને કારણે મધ્ય પૂર્વના એરપોર્ટ બંધ થતા ઉડ્ડયન ક્ષેત્ર પ્રભાવિત; ભારત હવે સાઉથ-ઈસ્ટ એશિયાના દેશો સાથે ફ્લાઈટ વધારવા કરશે વાતચીત

by samadhan gothal
Indian Airlines Plan B Middle East મિડિલ ઈસ્ટ એરસ્પેસમાં જોખમ વધતા ભારતીય એરલાઇન્સની

News Continuous Bureau | Mumbai

Indian Airlines Plan B Middle East પશ્ચિમ એશિયામાં વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. ઘણા મોટા એરપોર્ટ કાં તો બંધ છે અથવા મર્યાદિત ક્ષમતા સાથે કાર્યરત છે, જેના કારણે ભારતીય એરલાઇન્સના વિસ્તરણની યોજનાઓ ખોરવાઈ છે. આ સ્થિતિમાં ભારત સરકારે હવે સાઉથ-ઈસ્ટ એશિયા તરફ નજર દોડાવી છે, જ્યાં ફ્લાઈટ્સની સંખ્યા વધારવા માટેની તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

મિડિલ ઈસ્ટ સંકટને કારણે એરલાઇન્સના ૪૦% ઇન્ટરનેશનલ રૂટ પ્રભાવિત

ભારતીય એરલાઇન્સ જેવી કે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ માટે મિડિલ ઈસ્ટ અત્યંત મહત્વનું બજાર છે. આ કંપનીઓની લગભગ ૪૦% આંતરરાષ્ટ્રીય ઉડાનો આ ક્ષેત્રમાં સંચાલિત થાય છે. જોકે, વર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે એરલાઇન્સ આ ઉનાળાની સિઝનમાં પોતાના વિમાનોનો પૂરો ઉપયોગ કરી શકતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચમાં મળેલી આંતર-મંત્રાલય બેઠકમાં થાઈલેન્ડ, વિયેતનામ અને ઈન્ડોનેશિયા જેવા દેશો સાથે ઉડાનો વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સાઉથ-ઈસ્ટ એશિયા બન્યું નવું ફેવરિટ ડેસ્ટિનેશન

છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથ-ઈસ્ટ એશિયા ભારતીય પ્રવાસીઓ માટે મનગમતું સ્થળ બનીને ઉભરી આવ્યું છે. સરળ વિઝા નિયમો, ઓછો ખર્ચ અને ટૂંકા સમયમાં મુસાફરીની સુવિધાને કારણે આ દેશો માટે ઉડાનોની માંગ સતત વધી રહી છે. અત્યારે હાલની બેઠક વ્યવસ્થા (Seat Capacity) લગભગ ફૂલ થઈ રહી છે, જેને જોતા ભારત સરકાર હવે આ દેશોના નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીઓ સાથે બેઠક ક્ષમતા વધારવા માટે નવી સમજૂતીઓ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો: Tragic Accident in Nashik: નાસિકમાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ૯ સભ્યોના મોત, મૃતકોમાં ૬ માસૂમ બાળકો સામેલ.

મુસાફરોને શું થશે ફાયદો?

જો આ દેશો માટે ફ્લાઈટ્સની સંખ્યા વધશે તો પ્રવાસીઓને સીધો ફાયદો થશે. તેનાથી ટિકિટના ભાવ અંકુશમાં રહેશે અને પીક સીઝન દરમિયાન પણ સરળતાથી ટિકિટ મળી શકશે. અગાઉ ભારતે ઈન્ડોનેશિયા સાથે દર અઠવાડિયે ૯,૦૦૦ સીટ અને વિયેતનામ સાથે ૪૨ ઉડાનોની સમજૂતી કરી હતી. હવે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં આ આંકડાઓમાં મોટો વધારો થવાની શક્યતા છે, જેથી ભારતીય એરલાઇન્સનું નુકસાન ઘટાડી શકાય.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More