West Asia Crisis: ટ્રમ્પની ધમકી વચ્ચે ભારતની મોટી કૂટનીતિક હિલચાલ: એસ. જયશંકરને આવ્યો ઈરાનથી કોલ, હોર્મુઝ સંકટ અને તેલ સપ્લાય પર થઈ મહત્વની વાત!

West Asia Crisis: હોર્મુઝની ખાડી ખોલવા માટે ટ્રમ્પનું ૪૮ કલાકનું અલ્ટીમેટમ; વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાવાની ભીતિ વચ્ચે ભારતે મધ્યસ્થી અને સ્થિરતા પર આપ્યો ભાર

by Akash Rajbhar
West Asia Crisis Jaishankar Holds Urgent Phone Talks with Iranian, Qatari, and UAE Leaders Amid Trump’s 48-Hour Ultimatum

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભયાનક બની રહી છે ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી, કતારના વડાપ્રધાન અને યુએઈના વિદેશ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આગામી મંગળવાર સુધીમાં હોર્મુઝની ખાડી ખોલવા અથવા વિનાશક હુમલાનો સામનો કરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી છે, જે બાદ આ હાઈ-પ્રોફાઈલ વાતચીત અત્યંત મહત્વની માનવામાં આવે છે.

ઈરાનના વિદેશ મંત્રીનો કોલ અને પ્રાદેશિક સ્થિતિની સમીક્ષા

વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીનો ફોન આવ્યો હતો અને તેમની વચ્ચે વર્તમાન ગંભીર સ્થિતિ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. ઈરાની દૂતાવાસના જણાવ્યા અનુસાર, બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોની સાથે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર પણ વાત કરી છે. ભારત માટે ઈરાન સાથેનો આ સંવાદ એટલે પણ જરૂરી છે કારણ કે ઈરાને ભારત જેવા મિત્ર દેશોના જહાજોને હોર્મુઝના માર્ગે પસાર થવાની પરવાનગી આપી છે.

આ સમાચાર પણ વાંચો : US-Iran Conflict: ઈરાન-અમેરિકા મંત્રણા: મિડલ ઈસ્ટમાં ૪૫ દિવસના યુદ્ધવિરામનો પ્લાન તૈયાર? જાણો શું છે નવા રિપોર્ટમાં.

ઉર્જા સુરક્ષા અને ભારત પર સંકટના વાદળો

ભારત માટે પશ્ચિમ એશિયા ઉર્જા ખરીદીનો મુખ્ય સ્ત્રોત છે. હોર્મુઝની ખાડી એ વિશ્વનો સૌથી વ્યસ્ત અને સંકરો સમુદ્રી માર્ગ છે, જે ઈરાન દ્વારા અત્યારે આંશિક રીતે બ્લોક કરવામાં આવ્યો છે. જો આ નાકેબંધી લાંબો સમય ચાલે તો ભારતની ઈંધણ અને ખાતર (યુરિયા-ડીએપી) સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. જયશંકરે યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન સાથે પણ વૈશ્વિક ઉર્જા પુરવઠા પર આ સંઘર્ષની અસર અંગે ચર્ચા કરી છે.

ભારતની કૂટનીતિક મધ્યસ્થી અને શાંતિની અપીલ

જયશંકરે કતારના વડાપ્રધાન અલ થાની સાથે પણ લાંબી વાતચીત કરી છે. ભારત ઈચ્છે છે કે આ સંઘર્ષ વહેલી તકે સમાપ્ત થાય અને હોર્મુઝની ખાડીમાંથી ઉર્જાનો પુરવઠો કોઈ પણ અવરોધ વિના શરૂ રહે. તાજેતરમાં જ ભારતનું ૯મું જહાજ ‘ગ્રીન આશા’ એલપીજી (LPG) લઈને હોર્મુઝ પાર કરી ચૂક્યું છે, પરંતુ હજુ પણ અનેક ટેન્કરો મંજૂરીની રાહમાં છે. ટ્રમ્પની ધમકી બાદ ભારત હવે ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારના સંઘર્ષને ટાળવા માટે કૂટનીતિક પ્રયાસો તેજ કરી રહ્યું છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More