Ramayan fame Renu Dhariwal| રામાયણ’ ફેમ અભિનેત્રી ની ફિલ્મોથી રાજનીતિ સુધીની સફર જાણો કેટલી કરોડોની છે તેમની નેટવર્થ!

Ramayan fame Renu Dhariwal|રામાનંદ સાગરની રામાયણની શૂર્પણખા એટલે કે રેણુ ધારીવાલ આજે એક સફળ બિઝનેસ વુમન અને રાજનેત્રી તરીકે પોતાની ઓળખ ધરાવે છે

by Zalak Parikh
Ramayan fame Renu Dhariwal| રામાયણ' ફેમ અભિનેત્રી ની ફિલ્મોથી રાજનીતિ સુધીની સફર જાણો કેટલી કરોડોની છે તેમની નેટવર્થ!

 

News Continuous Bureau | Mumbai

Ramayan fame Renu Dhariwal| રામાનંદ સાગરની ઐતિહાસિક સિરીયલ ‘રામાયણ’ ના દરેક પાત્રને દર્શકો આજે પણ યાદ કરે છે. આ શોમાં શૂર્પણખાનું પાત્ર ભજવનારી અભિનેત્રી રેણુ ધારીવાલની ચર્ચા હાલમાં ખૂબ થઈ રહી છે. લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર રહેલી રેણુ આજે ગ્લેમરસ અને લક્ઝરી લાઈફ જીવી રહી છે. અભિનય જગત છોડ્યા બાદ તેમણે રાજનીતિ અને બિઝનેસની દુનિયામાં મોટી સફળતા મેળવી છે.

રાજનીતિ અને રિયલ એસ્ટેટમાં સફળતા

ટેલિવિઝન સિરીયલ રામાયણથી લોકપ્રિયતા મેળવનાર રેણુ ધારીવાલ હવે રાજકારણમાં ખૂબ જ સક્રિય છે. અભિનયથી નાતો તોડીને તેમણે રાજનીતિમાં પોતાનું કરિયર બનાવ્યું છે. આ ઉપરાંત, તેઓ તેમના પતિ સાથે મળીને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ સંકળાયેલા છે અને કરોડોનું સામ્રાજ્ય સંભાળી રહ્યા છે. મુંબઈમાં કોંગ્રેસ પાર્ટીની નેત્રી તરીકે કામ કરવા ઉપરાંત, તેઓ અનેક સામાજિક સંસ્થાઓ (NGO) દ્વારા ગરીબ બાળકો માટે પણ કામ કરી રહ્યા છે.

કેવી રીતે મળ્યો રામાયણમાં બ્રેક?

વાત વર્ષ 1985 ની છે, જ્યારે રામાનંદ સાગર તેમના ડ્રીમ પ્રોજેક્ટ રામાયણ પર કામ કરી રહ્યા હતા. શૂર્પણખાના પાત્ર માટે તેમને યોગ્ય કલાકારની શોધ હતી. જ્યારે રેણુ ધારીવાલ ઓડિશન આપવા પહોંચ્યા, ત્યારે તેમની હસવાની અદા જોઈને રામાનંદ સાગર એટલા પ્રભાવિત થયા કે તેમણે તરત જ તેમને આ પાત્ર માટે સાઈન કરી લીધા. આ રોલે તેમને એવી ઓળખ અપાવી કે આજે પણ લોકો તેમને શૂર્પણખાના નામથી જ ઓળખે છે.

મુંબઈમાં રહે છે રેણુ

રેણુ ધારીવાલ હાલમાં મુંબઈમાં પોતાના પરિવાર સાથે વૈભવી જીવન જીવી રહ્યા છે. વર્ષો વીત્યા બાદ તેમનો લુક અને જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એક સફળ રાજનેત્રી અને બિઝનેસ વુમન તરીકે તેમણે સમાજમાં પોતાની એક અલગ છાપ છોડી છે.મીડિયા રિપોર્ટ મુજબ તેમની સંપત્તિ કરોડો માં છે. આજે તેઓ એક સફળ અને લક્ઝરી લાઈફ સ્ટાઈલ ધરાવતા વ્યક્તિ તરીકે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar 3| રણવીર સિંહ ફરી એકવાર ‘ધુરંધર’ બનીને આવશે?જમીલ જમાલીના નિવેદન બાદ અટકળોનું બજાર ગરમ.

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More