News Continuous Bureau | Mumbai
TRP Report Week 15| દરેક અઠવાડિયે ટેલિવિઝન જગતની ટીઆરપી (TRP) રિપોર્ટનો ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. બાર્ક (BARC) દ્વારા જાહેર કરવામાં આવેલી 15મા અઠવાડિયાની રિપોર્ટમાં ટેલિવિઝન જગતમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઘણા સમયથી ટોપ 5ની રેસમાંથી બહાર રહેલા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલે આ અઠવાડિયે ધમાકેદાર વાપસી કરી છે. બીજી તરફ, લાંબા સમયથી રાજ કરનાર ‘અનુપમા’ની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નંબર 1 પર ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’
સ્મૃતિ ઈરાનીના શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’નું વર્ચસ્વ હજુ પણ યથાવત છે. કરણ અને નંદિનીના ટ્રેકને પ્રેક્ષકો ખૂબ પસંદ કરી રહ્યા છે, જેના પરિણામે શોને આ અઠવાડિયે 2.0 રેટિંગ સાથે પ્રથમ સ્થાન મળ્યું છે. દર્શકોનો આ પ્રેમ દર્શાવે છે કે આ શો ટીઆરપીની રેસમાં સૌથી આગળ છે.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ધમાકેદાર છલાંગ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માટે આ અઠવાડિયું ખૂબ જ પ્રોત્સાહક રહ્યું છે. સતત ટોપ 5થી બહાર રહેલા આ શોએ અચાનક એવી છલાંગ લગાવી છે કે તે સીધો ત્રીજા નંબર પર આવી ગયો છે. 1.8 રેટિંગ સાથે શોએ પોતાની લોકપ્રિયતા સાબિત કરી દીધી છે. જ્યારે ‘વસુધા’ શો 1.8 રેટિંગ સાથે બીજા સ્થાને મજબૂતીથી ટકી રહ્યો છે.
‘અનુપમા’ની ઘટી રહી છે લોકપ્રિયતા
ટીવી જગતનો સૌથી સફળ શો ગણાતા ‘અનુપમા’ની હાલત આ અઠવાડિયે ચિંતાજનક જણાઈ રહી છે. દર્શકો વારંવાર આવતા એકસરખા ટ્રેકથી કંટાળી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે, જેને કારણે શોની રેટિંગ ઘટીને 1.8 પર આવી ગઈ છે. ટોપ 5માં સ્થાન મેળવ્યા છતાં, ‘અનુપમા’ અગાઉ જેવો જાદુ કરવામાં નિષ્ફળ જઈ રહ્યો છે. આ યાદીમાં ‘ક્યોંકિ રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’ 1.7 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.
👉 આ સમાચાર વાચો:
Ranbir Kapoor Reject Mohit Suri Film। શું રણબીર કપૂર નહીં કરે મોહિત સૂરીની ફિલ્મ? અનીત પડ્ડા સાથેની જોડીને લઈને ઉઠ્યા સવાલો, જાણો શું છે મામલો.