News Continuous Bureau | Mumbai
Suman Kalyanpur Singer Passes Away 2026। ભારતીય સિનેમા જગત અને સંગીત દુનિયામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન ઇરા (૬૦ અને ૭૦ ના દાયકા) માં પોતાની મધુર અને સુરીલી આવાજથી શ્રોતાઓના દિલ જીતનારા પીઢ ગાયિકા સુમન કલ્યાણપુરનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ પોતાના પાછળ સંગીત અને યાદગાર ગીતોનો એક ભવ્ય વારસો છોડી ગયા છે. સુમન કલ્યાણપુર એવા સમયગાળામાં સક્રિય હતા જ્યારે લતા મંગેશકર અને આશા ભોંસલે જેવી દિગ્ગજ ગાયિકાઓનો બોલિવૂડમાં દબદબો હતો, તેમ છતાં તેમણે પોતાની આગવી શૈલીથી સંગીત જગતમાં એક અલગ મુકામ હાસિલ કર્યો હતો.
લતા મંગેશકર સાથે અવાજ મળતો હોવાથી લોકો થતા ગેરસમજણનો શિકાર, સિંગરે વ્યક્ત કરી હતી અસહજતા
સુમન કલ્યાણપુરનો અવાજ ગાન કોકિલા લતા મંગેશકર ને ખૂબ જ મળતો આવતો હતો. આ જ કારણે ઘણી વખત સામાન્ય શ્રોતાઓ અને સંગીત પ્રેમીઓ સુમનજીના ગીતોને લતા દીદીના ગીતો સમજી બેસતા હતા. જો કે, આ પ્રકારની સરખામણીથી સુમન કલ્યાણપુર હંમેશા થોડી અસહજતા અનુભવતી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા અહેવાલો અને આક્ષેપો પણ વહેતા થયા હતા કે લતા મંગેશકરે કથિત રીતે સુમન કલ્યાણપુરની કારકિર્દીને આગળ વધતા અટકાવી હતી અને તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું. પરંતુ લતા દીદીએ પોતે એક જૂના ઈન્ટરવ્યુમાં આ અફવાઓનો જોરદાર જવાબ આપીને સત્ય જાહેર કર્યું હતું.
‘મેં પોતે પહેલું ગીત તેમના માટે છોડ્યું હતું’ – લતા મંગેશકરે ઈન્ટરવ્યુમાં આપ્યો હતો સણસણતો જવાબ
એક ઐતિહાસિક ઈન્ટરવ્યુ દરમિયાન લતા મંગેશકરે આ તમામ આરોપોને સરાસર ખોટા ગણાવતા કહ્યું હતું કે, “આ વાત તદ્દન ખોટી છે કે મેં કોઈને આગળ વધતા રોક્યા છે. હકીકત તો એ છે કે સુમન કલ્યાણપુર જ્યારે હિન્દી સિનેમામાં આવ્યા, ત્યારે તેમનું સૌથી પહેલું હિન્દી ગીત મેં પોતે તેમના માટે છોડ્યું હતું. મેં તે ગીત ઓલરેડી રેકોર્ડ કરી લીધું હતું, પરંતુ તેમના કરિયરની શરૂઆત સારી થાય તે માટે મેં સ્વેચ્છાએ તે ગીત સુમનજીને ગાવા માટે આપી દીધું હતું.” જો કે, લતાજીએ તે ઈન્ટરવ્યુમાં ગીતના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.
૧૯૫૪ માં ફિલ્મ ‘દરવાજા’ થી તલત મહમૂદ સાથે કર્યું હતું ડેબ્યુ, આ રહ્યા સુમનજીના ૫ યાદગાર ગીતો
મ્યુઝિક હિસ્ટ્રીના દસ્તાવેજો અનુસાર, આશરે ૭૨ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૧૯૫૪ માં આવેલી ફિલ્મ ‘દરવાજા’ માં સુમન કલ્યાણપુરે તેમનું પ્રથમ હિન્દી ગીત ગાયું હતું. આ ગીતના બોલ હતા – ‘એક દિલ, દો હૈ તલબગાર’ (Ek Dil, Do Hain Talabgar), જે તેમણે પ્રખ્યાત ગાયક તલત મહમૂદ સાથે મળીને ગાયું હતું. સુમનજીના નિધન પર સમગ્ર બોલિવૂડ અને સંગીત જગતે શોક વ્યક્ત કર્યો છે. તેમના ૫ સૌથી લોકપ્રિય અને સદાબહાર ગીતો આજે પણ લોકોના હોઠ પર છે:
જિંદગી ઇમ્તેહાન લેતી હૈ (ફિલ્મ: નસીબ)
આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે (ફિલ્મ: બ્રહ્મચારી)
રહેં ના રહેં હમ (ફિલ્મ: મમતા)
રાત સુહાની જાગ રહી હૈ
દિલ એક મંદિર હૈ (ફિલ્મ: દિલ એક મંદિર)
👉 આ સમાચાર વાચો:
Taapsee Pannu। ક્રેશ ડાયેટિંગ કરતા પહેલાં ચેતી જજો! બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ કેમ કહી આ ચોંકાવનારી વાત?