News Continuous Bureau | Mumbai
Janhvi Kapoor Shikhar Pahariya Relationship બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયાનો સંબંધ હવે કોઈનાથી છૂપો રહ્યો નથી. જ્હાન્વી અવારનવાર શિખર પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળે છે. તાજેતરમાં જ્હાન્વીની એક તસવીરે સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી દીધી છે, જેમાં તે પોતાના નાઇટસૂટ પર શિખરનું નામ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ક્યુટ તસવીર વાયરલ થયા બાદ ચાહકો તેમના સંબંધોને સત્તાવાર રીતે કન્ફર્મ માની રહ્યા છે.
Janhvi Kapoor Shikhar Pahariya Relationship – ‘જો હું ખોવાઈ જાઉં તો પ્લીઝ શિખર પાસે પહોંચાડો’
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જ્હાન્વી કપૂર નાઇટ સૂટમાં જોવા મળી રહી છે. સૌથી ખાસ વાત એ છે કે તેની ટી-શર્ટ પર એક રમુજી અને રોમેન્ટિક કેપ્શન લખેલું છે— ‘જો હું ખોવાઈ જાઉં, તો પ્લીઝ મને શિખર પહાડિયા પાસે પહોંચાડી દેજો’. ટી-શર્ટ પર લખેલા આ લાઈન્સે ચાહકોના દિલ જીતી લીધા છે અને નેટીઝન્સ આ અંદાજને સુપર ક્યુટ ગણાવી રહ્યા છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી રહ્યા છે કે ‘પ્રેમ હોય તો આવો’ અને ‘સાચો પ્રેમ ક્યારેય છૂપો રહેતો નથી’.
Janhvi Kapoor Shikhar Pahariya Relationship – કપૂર પરિવાર તરફથી પણ મળી ચૂકી છે મંજૂરી
આ અગાઉ પણ જ્હાન્વી કપૂર એક ગળાના પેન્ડન્ટ (Pendant) માં ‘શિખુ’ લખેલું નામ પહેરીને લાઈમલાઈટમાં આવી હતી. જ્હાન્વી અને શિખર પહાડિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ અવારનવાર બોલિવૂડ પાર્ટીઓ, ફેમિલી ગેટ-ટુગેધર અને વેકેશનમાં સાથે ક્લીક થતા રહે છે. કપૂર પરિવારના દરેક નાના-મોટા ફંક્શનમાં શિખર પહાડિયાની હાજરી જોવા મળે છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે બંનેના સંબંધોને બોની કપૂર અને કપૂર ખાનદાનની લીલી ઝંડી મળી ગઈ છે.
Janhvi Kapoor Shikhar Pahariya Relationship – કોણ છે જ્હાન્વી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા?
શિખર પહાડિયાની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તે મહારાષ્ટ્રના એક પ્રતિષ્ઠિત રાજકીય પરિવાર માંથી આવે છે. તે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના દોહિત્ર (Grandson) છે. રાજકીય કનેક્શન હોવાની સાથે-સાથે શિખર પહાડિયા એક સફળ બિઝનેસમેન (Businessman) પણ છે. જ્હાન્વીના આ નવા લેટેસ્ટ ફોટો બાદ હવે ચાહકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે આ કપલ લગ્નના બંધનમાં ક્યારે બંધાશે અને કપૂર પરિવારમાં શરણાઈઓ ક્યારે વાગશે.
👉 આ સમાચાર વાચો:
Ayurvedic Health Tips દહીં સાથે ભૂલથી પણ ન કરશો ‘આ’ વસ્તુઓનું સેવન; પાચનતંત્ર બગડવાની અને ગંભીર રોગોની શક્યતા