Rajkumar Hirani 3 Idiots Sequel રેંચો, રાજુ અને ફરહાન ફરી ધમાકો કરવા તૈયાર! ‘૩ ઇડિયટ્સ’ ની સિક્વલને લઈને રાજકુમાર હિરાનીની મોટી જાહેરાત

Rajkumar Hirani 3 Idiots Sequel આમિર ખાન, આર માધવન અને શરમન જોશી જ પાર્ટ ૨ માં મચાવશે ધમાલ; ૨૦ વર્ષના ટાઈમ લીપ સાથે આગળ વધશે વાર્તા

by Zalak Parikh
Rajkumar Hirani 3 Idiots Sequel  રેંચો, રાજુ અને ફરહાન ફરી ધમાકો કરવા તૈયાર! ‘૩ ઇડિયટ્સ’ ની સિક્વલને લઈને રાજકુમાર હિરાનીની મોટી જાહેરાત

 

News Continuous Bureau | Mumbai

Rajkumar Hirani 3 Idiots Sequel બોલિવૂડ સિનેમાના ઇતિહાસમાં માઇલસ્ટોન સાબિત થયેલી અને દર્શકોની ઓલટાઇમ ફેવરિટ ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ (3 Idiots) ની સિક્વલને લઈને એક બહુ જ મોટા અને શાનદાર સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના પ્રખ્યાત ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સત્તાવાર રીતે કન્ફર્મ કર્યું છે કે તેઓ આ બ્લોકબસ્ટર ફિલ્મના બીજા ભાગ એટલે કે ‘૩ ઇડિયટ્સ ૨’ પર કામ કરી રહ્યા છે. તેમણે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ શરૂ થઈ ગયું છે અને તેમાં તમામ જૂના પાત્રો જ જોવા મળશે.

Rajkumar Hirani 3 Idiots Sequel – વેબ સીરીઝ ‘પ્રીતમ પેડ્રો’ ના પ્રમોશન દરમિયાન હિરાનીએ આપ્યું મોટું અપડેટ

અહેવાલ મુજબ, આમિર ખાન, આર માધવન, શરમન જોશી, કરીના કપૂર ખાન અને બોમન ઈરાની જેવા દિગ્ગજોથી સજ્જ ‘૩ ઇડિયટ્સ’ વર્ષ ૨૦૦૯ માં રિલીઝ થઈ હતી. હવે આશરે ૧૭ વર્ષ પછી તેના બીજા ભાગની તૈયારીઓ ચાલી રહી છે. રાજકુમાર હિરાની હાલમાં ઓટીટી (OTT) ની દુનિયામાં ડેબ્યુ કરી રહ્યા છે અને તેમની આગામી વેબ સીરીઝ ‘પ્રીતમ પેડ્રો’ નું નિર્માણ કરી રહ્યા છે, જેનાથી તેમનો પુત્ર વીર હિરાની એક્ટિંગમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ જ સીરીઝના સિલસિલામાં ‘વેરાયટી ઇન્ડિયા’ સાથે વાત કરતી વખતે તેમણે સિક્વલ અંગેના તમામ સવાલોના જવાબો આપ્યા હતા.

Rajkumar Hirani 3 Idiots Sequel – કોલેજ લાઈફથી આગળ વધી ૨૦ વર્ષ પછીની જિંદગી અને લગ્નજીવન પર આધારિત હશે ફિલ્મ

જ્યારે રાજકુમાર હિરાનીને પૂછવામાં આવ્યું કે શું ‘૩ ઇડિયટ્સ ૨’ માં નવા કલાકારો હશે? ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, “ફિલ્મમાં એ જ બધા લોકપ્રિય પાત્રો હશે. વાર્તામાં મોટો ટાઈમ લીપ જોવા મળશે. આ વાર્તા ‘૩ ઇડિયટ્સ’ ના ૨૦ વર્ષ પછીના સમયની હશે, તેથી તમામ પાત્રોની ઉંમર વધી ચૂકી હશે. હવે તેઓ કોલેજમાં અભ્યાસ નહીં કરતા હોય, પરંતુ વાસ્તવિક દુનિયામાં નોકરી-ધંધો કરતા હશે, પરિણીત હશે અને બાળકો વાળા હશે. ત્યારબાદ તેમની જિંદગીમાં કેવા રસપ્રદ વળાંકો અને ઘટનાઓ બને છે, તે આ ફિલ્મમાં રમુજી અને પ્રેરણાદાયી રીતે બતાવવામાં આવશે.”

Rajkumar Hirani 3 Idiots Sequel – આમિર ખાનને ગમ્યો શરૂઆતી ડ્રાફ્ટ; રાઈટર અભિજાત જોશી સાથે સ્ક્રિપ્ટ લોક કરવામાં વ્યસ્ત

હિરાનીએ વધુમાં જણાવ્યું કે તેઓ હાલમાં સ્ક્રિપ્ટના પ્રારંભિક ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે. સુપરસ્ટાર આમિર ખાને આ પ્રાથમિક વાર્તા સાંભળી છે અને તેમને આ કન્સેપ્ટ ખૂબ જ પસંદ પણ આવ્યો છે. હિરાનીએ કહ્યું કે, “હાલમાં હું અને રાઈટર અભિજાત જોશી મુંબઈથી બહાર એક જગ્યાએ લોક થઈને આ વાર્તાને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આગામી બે મહિનામાં સ્ક્રિપ્ટ સંપૂર્ણ તૈયાર થઈ જશે, જેના પછી અમે શૂટિંગ ક્યારે શરૂ કરવું તેની જાહેરાત કરી શકીશું.” ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯ માં માત્ર ૫૫ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં ૨૦૨ કરોડ અને વૈશ્વિક સ્તરે ૩૫૦ કરોડથી વધુની ઐતિહાસિક કમાણી કરી હતી.

👉 આ સમાચાર વાચો:
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Promo તુલસીને ફરી ૧૦ વર્ષની જેલ અને શાંતિનિકેતનના બે ટુકડા! કરણ અને તેની માતા વચ્ચે સર્જાયો મોટો વિવાદ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More