Mujtaba Khamenei’s Mystery Journey સ્વાસ્થ્ય કે સુરક્ષા? ટ્રમ્પના દાવા વચ્ચે મુજ્તબા ખામેનેઈનું બેઇજિંગ પહોંચવું આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બન્યું ચર્ચાનો વિષય.

Mujtaba Khamenei's Mystery Journey ઈરાનના સર્વોચ્ચ નેતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને વિશ્વભરમાં ચર્ચા, રશિયન સુરક્ષિત વિમાનના રૂટ પરથી ઉઠ્યા ગંભીર સવાલો

by Mayuri Jabar
Mujtaba Khamenei's Mystery Journey  સ્વાસ્થ્ય કે સુરક્ષા? ટ્રમ્પના દાવા વચ્ચે મુજ્તબા ખામેનેઈનું બેઇજિંગ પહોંચવું આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બન્યું ચર્ચાનો વિષય.

 

News Continuous Bureau | Mumbai

Mujtaba Khamenei’s Mystery Journey ઈરાનના સર્વોચ્ચ નેતા મુજ્તબા ખામેનેઈના સ્વાસ્થ્ય અને તેમની હાલની હિલચાલને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે રહસ્ય ઘેરાયું છે. રશિયાનું અત્યંત સુરક્ષિત ગણાતું સ્પેશિયલ વિમાન Tu214PU તેહરાનથી ઉડાન ભરીને બેઇજિંગ પહોંચતા હવે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે મુજ્તબાને સારવાર માટે ચીન લઈ જવામાં આવ્યા છે.

Mujtaba Khamenei’s Mystery Journey – રશિયન વિમાન Tu-214PU અને તેની વિશેષતા

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ‘ફ્લાઇટરડાર 24’ મુજબ, આ રશિયન વિમાન Tu-214PU એટલું સુરક્ષિત છે કે તેને ટ્રેક કરવું લગભગ અશક્ય છે અને તેને મિસાઇલ દ્વારા નિશાન બનાવવું પણ અત્યંત મુશ્કેલ છે. આ વિમાન મોસ્કોથી તેહરાન ગયું અને થોડા કલાકોમાં જ તે બેઇજિંગ પહોંચી ગયું. આ રહસ્યમય મુસાફરીએ અનેક સવાલો ઉભા કર્યા છે કે શું મુજ્તબા ખામેનેઈ આ વિમાનમાં સવાર હતા?

Mujtaba Khamenei’s Mystery Journey – ટ્રમ્પનો દાવો અને સ્વાસ્થ્યની સ્થિતિ

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે મુજ્તબાનું શરીર 90 ટકા સુધી પ્રભાવિત થઈ ચૂક્યું છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદથી મુજ્તબા જાહેરમાં જોવા મળ્યા નથી. તેમના પિતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર વખતે પણ તેમની ગેરહાજરીએ અનેક તર્ક-વિતર્ક જન્મ્યા હતા. અગાઉ માર્ચ 2026માં કુવેતી અખબારે અહેવાલ આપ્યો હતો કે તેમને સારવાર માટે મોસ્કો લઈ જવામાં આવ્યા હતા.

Mujtaba Khamenei’s Mystery Journey – ચીન કેમ સુરક્ષિત મનાય છે?

નિષ્ણાતોનું માનવું છે કે રશિયાની વર્તમાન સ્થિતિ જોતા, ચીન હવે મુજ્તબા માટે સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન છે. ચીનમાં અમેરિકન કે ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓની પકડ નબળી હોવાથી ત્યાં રહેવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. ઉપરાંત, ઈરાન અને ચીન વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો પણ આ સ્થળાંતર પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. અમેરિકા સાથેના વધતા તણાવ વચ્ચે ઈરાન પોતાના સર્વોચ્ચ નેતાની સુરક્ષા માટે આ પગલું ભરી રહ્યું હોવાની ચર્ચા છે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

👉 આ સમાચાર વાચો:
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More