News Continuous Bureau | Mumbai
Gujarat Leads in Organ Donation અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલ ખાતે ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓની સુવિધા માટે ‘ઇલેક્ટ્રિક કાર’ સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંગદાનની પ્રેરણાદાયી સફરને વર્ણવતા પુસ્તક “અમરગાથા” નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
Gujarat Leads in Organ Donation – અંગદાન ક્ષેત્રે સમગ્ર ભારતમાં ગુજરાત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અગ્રેસર સ્થાન
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે અંગદાન એ મહાદાન છે અને અમદાવાદ તથા સુરત સિવિલ હોસ્પિટલ તથા IKDRC જેવી સરકારી સંસ્થાઓ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ડોનેશનના ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન કામગીરી કરી રહી છે. તેમણે અસંતુલિત ખાન-પાન અને જંક ફૂડને કારણે નાની વયે વધતા ડાયાલિસિસ અને હૃદયરોગના કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આયુર્વેદ અને ભારતીય સંસ્કૃતિ આપણને રોગ થતાં અટકાવવાના નિયમો શીખવે છે, તેમજ દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવી એ પણ એક મોટું પુણ્ય છે.
Gujarat Leads in Organ Donation – ધર્મની સીમાઓથી પર જઈને માનવસેવા અને અંગદાનનું મહત્વ
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે મેડિસિટી કેમ્પસમાં આ પ્રકારનો આ પહેલો વિશેષ કાર્યક્રમ છે. દિલીપદાદા દ્વારા ૫ લાખ કિલોમીટરથી વધુ પ્રવાસ કરીને અંગદાનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ ઉપરાંત યાસ્મીનબેનના સહયોગથી મુસ્લિમ પરિવારો દ્વારા પણ અંગદાન શક્ય બન્યું છે, જે સાબિત કરે છે કે અંગદાન ધર્મની તમામ સીમાઓથી પર એક મહાન માનવસેવા છે. UNMICRC નિયામક ડૉ. ચિરાગ દોશી અને IKDRC નિયામક ડૉ. પ્રાંજલ મોદીએ પણ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે જો બ્રેન ડેડ અંગદાન વધશે તો હજારો દર્દીઓને સમયસર નવજીવન આપી શકાશે.
Gujarat Leads in Organ Donation – “અમરગાથા” પુસ્તકનું વિમોચન અને નવી સુવિધાઓનું લોકાર્પણ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં સફળતાપૂર્વક સંપન્ન થયેલા ૨૫૦થી વધુ અંગદાન અને ૧૦૦૦થી વધુ અંગ-પેશી દાનની ભાવુક ગાથાને આવરી લેતા પુસ્તક “અમરગાથા” નું વિમોચન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં આવતા દર્દીઓ, સગા-સંબંધીઓ અને સ્ટાફની અવરજવર સરળ બને તે માટે અદ્યતન ઇલેક્ટ્રિક કાર સેવાઓ શરૂ કરવામાં આવી છે અને આધુનિક “પ્રેરણા કક્ષ” હોલનું લોકાર્પણ કરાયું છે. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તબીબી ટીમો અને વિશેષ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
👉 આ સમાચાર વાચો:
Shiv Sena Name & Symbol Dispute શિવસેના પક્ષ અને ચિહ્ન વિવાદ ‘ચૂંટણી આયોગ શિંદે જૂથને ધનુષબાણ ચિહ્ન ન આપી શકે’, કપિલ સિબ્બલની સુપ્રીમ કોર્ટમાં દલીલ