News Continuous Bureau | Mumbai
Air India Pilots Drug Test તાજેતરમાં ફુકેતથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં (Phuket to Delhi Flight) સર્જાયેલી અણધારી ઘટના બાદ ટાટા ગ્રૂપની એરલાઇન્સ એર ઇન્ડિયા (Air India) અને એર ઇન્ડિયા એક્સપ્રેસે (Air India Express) મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. એરલાઇન્સે પોતાના તમામ ૫,૦૦૦ થી વધુ પાઇલટ્સ માટે સાયકોએક્ટિવ સબસ્ટન્સ (Psychoactive Substance Screening) એટલે કે નશીલા પદાર્થોની તપાસ ફરજિયાત કરવાનો આદેશ જારી કર્યો છે.
Air India Pilots Drug Test – ફુકેત-દિલ્હી ફ્લાઇટ ઘટના અને તપાસ બાદ લેવાયો નિર્ણય
મળતી વિગતો અનુસાર, ૪ ઓગસ્ટના રોજ ફુકેતથી દિલ્હી આવી રહેલું એરબસ A320 વિમાન આકાશમાં અચાનક ૩૦૦ ફૂટ નીચે આવી ગયું હતું, જેના કારણે કેટલાક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઈજાગ્રસ્ત થયા હતા. લેન્ડિંગ બાદ કરવામાં આવેલી સ્ક્રીનિંગ અને કન્ફર્મેટરી ટેસ્ટમાં મુખ્ય પાઇલટના રિપોર્ટમાં પ્રતિબંધિત નશીલા પદાર્થનું સેવન સામે આવ્યું હોવાના અહેવાલ બાદ ડીજીસીએ (DGCA) અને એએઆઈબી (AAIB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
Air India Pilots Drug Test – ૫,૦૦૦ થી વધુ પાઇલટ્સનું વ્યાપક સ્તર પર ટેસ્ટિંગ
આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ બંને એરલાઇન્સે રેગ્યુલેટરી નિયમોથી આગળ વધીને તમામ પાઇલટ્સની સઘન ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. આ સ્ક્રીનિંગ ગુરુગ્રામ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર્સમાં તેમજ નિર્ધારિત બેઝ પર હાથ ધરવામાં આવશે. ઉડ્ડયન ક્ષેત્રે સુરક્ષા ધોરણો જાળવી રાખવા અને પેસેન્જર્સનો વિશ્વાસ મજબૂત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
Air India Pilots Drug Test – એવિએશન સેફ્ટી પ્રોટોકોલ અને ડીજીસીએની કડક ગાઇડલાઇન્સ
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના (DGCA) નિયમો મુજબ ક્રૂ મેમ્બર્સ માટે રેન્ડમ ડ્રગ ટેસ્ટિંગ ફરજિયાત હોય છે. જોકે, તાજેતરના કિસ્સા બાદ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને કંપનીઓએ આ પ્રક્રિયા વધુ સઘન બનાવી છે. પાઇલટ્સ કોઈપણ પ્રકારના પ્રતિબંધિત પદાર્થ કે અનધિકૃત દવાઓના પ્રભાવ હેઠળ ન હોય તે સુનિશ્ચિત કરવા માટે ટેસ્ટિંગ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
👉 આ સમાચાર વાચો:
Samay Raina India’s Got Latent “હવે કોઈ કાનૂની અડચણ નહીં…” સુપ્રીમ કોર્ટે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના કલાકારોને આપી મોટી રાહત, પોલીસ કેસ રદ