Marathi Language Rule for Drivers મરાઠી ન શીખનાર રિક્ષાટૅક્સી ચાલકોની ખેર નથી! ૧૦૫ દિવસનો સમય પૂરો થતાં મંત્રી પ્રતાપ સરનાઈકની ચેતવણી.

Marathi Language Rule for Drivers પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું કે જો ચાલકોને મૂળભૂત મરાઠીનું જ્ઞાન નહીં હોય તો તેમના પરવાના રદ કરવામાં આવશે

by Krishna
Marathi Language Rule for Drivers   મરાઠી ન શીખનાર રિક્ષાટૅક્સી ચાલકોની ખેર નથી! ૧૦૫ દિવસનો સમય પૂરો થતાં મંત્રી પ્રતાપ સરનાઈકની ચેતવણી.

 

News Continuous Bureau | Mumbai

Marathi Language Rule for Drivers મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટૅક્સી ચાલકો (Taxi and Autorickshaw Drivers) માટે મરાઠી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે (Pratap Sarnaik) તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મરાઠી શીખવા માટે ૧૦૫ દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને હવે સમયમર્યાદા પૂરી થતાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સીધી કાયદેસરની કાર્યવાહી (Legal Action) શરૂ કરવામાં આવશે.

Marathi Language Rule for Drivers – મરાઠી શીખવા માટે આપવામાં આવ્યો હતો ૧૦૫ દિવસનો સમય

મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં વાહન ચલાવતા તમામ રિક્ષા અને ટૅક્સી ચાલકો માટે સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ચાલકોને મરાઠી શીખવવા માટે ૧૦૫ દિવસનો વિશેષ સમયગાળો આપવામાં આવ્યો હતો, જેથી તેઓ સરળતાથી ભાષા શીખી શકે અને મુસાફરો સાથે યોગ્ય સંવાદ સાધી શકે. મંત્રીએ જણાવ્યું કે આ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે અને મોટી સંખ્યામાં ચાલકોએ નોંધણી પણ કરાઈ છે.

Marathi Language Rule for Drivers – મરાઠી ભાષાનું જ્ઞાન ન હોવા પર રદ્દ થશે પરવાનગી અને બેજ

પરિવહન વિભાગ (Transport Department) દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હવે જે ચાલકોને મરાઠી ભાષાનું પાયાનું જ્ઞાન નહીં હોય અને મુસાફરો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી ઊભી કરશે, તેમના ડ્રાઇવિંગ લાયસન્સ (Driving Licence), બેજ તેમજ પરમિટ (Permit) રદ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓ દ્વારા રૂટ પર અચાનક તપાસણી પણ કરવામાં આવશે.

Marathi Language Rule for Drivers – મુસાફરોની સગવડ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રશાસનનું મોટું પગલું

મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં બહારથી આવતા મુસાફરો અને સ્થાનિક નાગરિકોની સગવડ માટે આ નિયમ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પ્રશાસન અને ટ્રાફિક વિભાગ દ્વારા ચાલકોની મુઝવણ અને મુસાફરો સાથે થતી બોલાચાલી કે વિવાદોને અટકાવવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે, જેથી જાહેર પરિવહન સેવા વધુ પારદર્શક અને સુલભ બની શકે.

👉 આ સમાચાર વાચો:
Castor Seed Sowing Drop – ગુજરાતમાં એરંડાનાં વાવેતર ઘટતા ભાવમાં તેજીની આગેકૂચ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More