Nitin Gadkari Mumbai Goa Highway મુંબઈગોવા હાઇવેના કામમાં થયેલી ભારે વિલંબ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નારાજ, કહ્યું ‘ઉદ્ઘાટનમાં નહીં આવું, મને શરમ આવે છે’

Nitin Gadkari Mumbai Goa Highway કામમાં ૧૬ થી ૧૭ વર્ષ લાગવા બદલ વ્યક્ત કરી અસંતોષની લાગણી, નિષ્ક્રિય કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આપ્યા સંકેત

by Zalak Parikh
Nitin Gadkari Mumbai Goa Highway  મુંબઈગોવા હાઇવેના કામમાં થયેલી ભારે વિલંબ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નારાજ, કહ્યું 'ઉદ્ઘાટનમાં નહીં આવું, મને શરમ આવે છે'

 

News Continuous Bureau | Mumbai

Nitin Gadkari Mumbai Goa Highway કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ મુંબઈગોવા રાષ્ટ્રીય રાજમાર્ગ ના નિર્માણમાં થઈ રહેલા લાંબા વિલંબને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કર્યું છે તેઓ આ હાઇવેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી નહીં આપે.

Nitin Gadkari Mumbai Goa Highway – હાઇવેના નિર્માણમાં ૧૬ થી ૧૭ વર્ષનો વિલંબ દુર્ભાગ્યપૂર્ણ

ગોવાના પર્વરી ખાતે ૬ લેન એલિવેટેડ કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મુંબઈથી કોંકણ થઈને ગોવા જતો આ મહત્વપૂર્ણ માર્ગ પૂરો થવામાં ૧૬ થી ૧૭ વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો, જે અત્યંત શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે સ્વીકાર્યું કે આટલા વર્ષોની દેરીને કારણે તેમને ઉદ્ઘાટનમાં જતા શરમ અનુભવાય છે.

Nitin Gadkari Mumbai Goa Highway – કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નવો રેકોર્ડ બનાવવાની ચેતવણી

ગડકરીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેમના વિભાગમાં અત્યાર સુધી અનેક વર્લ્ડ રેકોર્ડ બન્યા છે, પરંતુ હવે તેઓ એક વર્ષમાં સૌથી વધુ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ અને ડિબાર કરવાનો તથા સૌથી વધુ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નવો રેકોર્ડ બનાવવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે કોઈપણ પ્રકારની બેદરકારી બિલકુલ સહન કરવામાં આવશે નહીં.

Nitin Gadkari Mumbai Goa Highway – હાઇવેનું ૯૦ થી ૯૫ ટકા કામ પૂર્ણ, આગામી ઓક્ટોબરમાં જાતે કરશે નિરીક્ષણ

હાલમાં મુંબઈ-ગોવા હાઇવેનું કામ આશરે ૯૦ થી ૯૫ ટકા જેટલું પૂરું થઈ ચૂક્યું છે. આગામી ઓક્ટોબર મહિનામાં મંત્રી ખુદ મુંબઈથી ગોવા સુધી સડક માર્ગે પ્રવાસ કરીને સમગ્ર હાઇવેના કામનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, પોતાના રાજકીય ભવિષ્ય વિશે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી પાર્ટી તક આપશે, તેઓ પોતાના વર્તમાન મતવિસ્તાર નાગપુરથી જ ચૂંટણી લડવાનું ચાલુ રાખશે.

👉 આ સમાચાર વાચો:
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More