ચારુ આસોપા થી અલગ થયા બાદ સુષ્મિતા સેન નો ભાઈ કરાવવા માંગે છે પત્ની નો આ મોટો ટેસ્ટ-અભિનેત્રી વિશે કહી આવી વાત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા અને સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ(Rajeev sen) તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. ઓગસ્ટમાં જ, ગણપતિની ઉજવણી પછી, બંનેએ તેમના લગ્નને બીજી તક આપવાનું નક્કી કર્યું હતું અને તેમના સંબંધોની નવી શરૂઆત વિશે સોશિયલ મીડિયા (social media)પર લાંબી અને વિશાળ પોસ્ટ કરી હતી. બંનેએ તેમના લગ્ન જીવનને સુંદર બનાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કામ ન થયું. ચારુએ રાજીવ સાથેના તેના સંબંધો વિશે ઘણી વખત ખુલાસો કર્યો છે, પરંતુ હવે તાજેતરમાં સુષ્મિતાના ભાઈ રાજીવ સેને કહ્યું હતું કે તે ઈચ્છે છે કે હવે તેનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ(lie detector test) કરવામાં આવે અને તમામ સત્ય બહાર આવે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ સુપરસ્ટાર ના પુત્ર સાથે સંબંધમાં હતી અનન્યા પાંડે-માતા ભાવના એ આવી રીતે કર્યો દીકરી નો બચાવ

તાજેતરમાં, રાજીવે તેની યુટ્યુબ ચેનલ(youtube channel) પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે તેના અને ચારુના સંબંધો પર ઘણા ખુલાસા કર્યા હતા. રાજીવે કહ્યું, 'બહાર જે કંઈ થઈ રહ્યું છે તે મારા નિયંત્રણમાં નથી. હું અહીં કોઈ નફરત ફેલાવવા માંગતો નથી, પરંતુ જો તમારા વિશે કંઇક ખોટું કહેવામાં આવે છે, તો તમારે તમારા માટે ઊભા રહેવું પડશે. આ મારી અંગત બાબતો છે, હું શા માટે મીડિયાને(media) ફોન કરીને કોઈને અપમાનિત કરીશ. રાજીવે પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું, 'જો તમારી સામે કોઈ આરોપો છે અને તમારી પાસે પુરાવા(evidence) છે તો સારું છે, નહીં તો મને લાગે છે કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવો જોઈએ'.આ વીડિયોમાં પોતાની વાત આગળ વધારતા રાજીવે કહ્યું, 'દરેક કપલ માટે આ હોવું જરૂરી છે, આનાથી આપણને ખબર પડશે કે માણસો જૂઠું બોલી શકે છે, મશીન નહીં. આ જરૂરી છે જેથી બધી મૂંઝવણ દૂર થઈ જાય. જ્યારે આટલા બધા આરોપો હોય અને તમે કાઉન્સેલિંગ(counseling) પણ લો ત્યારે એ કામમાં આવે છે જ્યારે તમારે લગ્ન બચાવવા હોય. તેના અને ચારુના લગ્નને લઈને પણ રાજીવ સેને અભિનેત્રી વિશે ઘણી વાતો કરી.

રાજીવે આગળ કહ્યું, 'મારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે જિયાના(Ziyana) ની સલામતી, પછી ભલે તે મારી સાથે રહે કે ચારુ (Charu Asopa)સાથે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે જિયાના સલામત વાતાવરણમાં રહે છે. ખોટા આરોપો લગાવવામાં આવે ત્યારે દુઃખ થાય છે. પણ મને કોઈ ફરક પડતો નથી. આવનારા સમયમાં બધુ જ સામે આવશે. રિપોર્ટ્સ અનુસાર, રાજીવનો આ વીડિયો સામે આવ્યો તે પહેલા ચારુ અસોપાએ તેના પર શારીરિક શોષણ અને મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More