News Continuous Bureau | Mumbai
જો તમે પણ SBIના ખાતાધારક(SBI account holder) છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. બેન્કે બચત ખાતાના(savings account) વ્યાજદરોમાં(interest rates) કાપની જાહેરાત કરી છે. બેન્કે 10 કરોડ રૂપિયાથી ઓછા વ્યાજદરમાં કાપ મૂક્યો છે. SBIની વેબસાઇટ અનુસાર બેન્કે 15 ઑક્ટોબરથી આ નવા દરો લાગૂ કર્યા છે.10 કરોડથી ઓછી બચત પર SBI 2.7 ટકા પ્રતિ વર્ષ વ્યાજદર ઓફર કરે છે. તે 2.75% પ્રતિ વર્ષના ગત દરથી 5 બેસિસ પોઇન્ટ(basis point) ઓછા છે. SBIના આ નવા દરો 15 ઑક્ટોબરથી લાગૂ થશે.
SBIએ ફેરફાર કર્યો
10 કરોડથી ઓછી રકમની બચત પર વ્યાજદરમાં કાપ ઉપરાંત SBIએ એક અન્ય ખાતા માટે વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. 10 કરોડ કે તેનાથી વધુની બચત ખાતાની જમા રકમ પર SBIએ 30 બેસિસ પોઇન્ટના દરથી 3 ટકા સુધીનો વધારો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – ઓક્ટોબરના બાકી બચેલા 14 દિવસમાંથી આ 9 દિવસ બેંકો રહેશે બંધ- ઝટપટ પતાવી લેજો બેન્કના કામ- અહીં જુઓ રજાઓની યાદી
FD પર પણ વ્યાજદર બદલાયો
SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજદરોમાં પણ 15 ઑક્ટોબરથી 10 બેસિસ પોઇન્ટ વધારીને 20 બેસિસ પોઇન્ટ સુધી નક્કી કર્યા છે. બેન્કે 7 દિવસથી 10 વર્ષની એફડી પર 3 ટકાથી 5.85 ટકા વ્યાજદર ઓફર કરે છે. પહેલા આ વ્યાજદર 2.90 ટકાથી 5.65 ટકા હતો. વરિષ્ઠ નાગરિક આ FD પર 3.5 ટકાથી 6.65 ટકા સુધી વ્યાજ કમાઇ શકે છે. જ્યારે ગત દરો 3.4 થી 6.45 ટકા હતા.
યુરો બેન્કે (Euro Bank) પણ દરમાં ફેરફાર કર્યો
યુરો બેન્કે 1 વર્ષથી 4 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન એફડી(FD) પરના દરોમાં 0.09 ટકાથી 0.49 ટકાનો વધારો કર્યો છે. જ્યારે 4 વર્ષથી 5 વર્ષની એફડી માટે આ દરો યથાવત્ છે.