News Continuous Bureau | Mumbai
જો તમારું એકાઉન્ટ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે, તો તમને પણ બેંકની આ સેવાનો લાભ મળશે. SBIએ દેશભરના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર લાવી છે. બેંકે મોબાઈલ ફંડ ટ્રાન્સફર(Mobile Fund Transfer) પર SMS ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે.
બેંકે જણાવ્યું હતું કે SMS ચાર્જને માફ કર્યા પછી, ગ્રાહકો હવે USSD સેવાઓનો ઉપયોગ કરીને કોઈપણ વધારાના શુલ્ક ચૂકવ્યા વિના વ્યવહારો કરી શકે છે.
SBIએ Twitter પર જાહેરાત કરી હતી કે “અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ માફ કરવામાં આવ્યો છે. વપરાશકર્તાઓ હવે USSD સેવાઓનો ઉપયોગ કરીને કોઈપણ વધારાના શુલ્ક વિના(without charge) સરળતાથી વ્યવહાર કરી શકે છે,”
આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટમાં મંગળ શરૂઆત બંને મુખ્ય સૂચકાંકમાં જબરદસ્ત ઉછાળો આ શેર છે ટોપ ગેઈનર્સ
ફ્રી મોબાઈલ ફંડ ટ્રાન્સફરથી ખાસ કરીને ફીચર ફોનનો ઉપયોગ કરતા SBI ગ્રાહકોને ફાયદો થશે.
તેમના ફીચર ફોન પર *99# ડાયલ કરીને, SBI ગ્રાહકો પૈસા મોકલવા અથવા વિનંતી કરવા જેવા વ્યવહારો કરી શકે છે. તેઓ તેમના એકાઉન્ટ બેલેન્સ(Account balance) પણ ચકાસી શકે છે, મિની સ્ટેટમેન્ટ(Mini statement) મેળવી શકે છે અને તેમની UPI પિન બદલી શકે છે.