બ્રહ્માસ્ત્ર 2 માં બોલિવૂડના આ સુપરહિટ કપલની એન્ટ્રી-ભૂલમાં કર્યો નિર્માતાઓના સસ્પેન્સનો પર્દાફાશ 

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની(Ranbir Kapoor and Alia Bhatt) ફિલ્મ બ્રહ્માસ્ત્ર(Brahmastra) 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં(cinemas) રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો અને બોક્સ ઓફિસ (box office) પર સારી કમાણી કરી. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે અયાન મુખર્જી(Ayan Mukherjee) આ ફિલ્મના ત્રણ ભાગ રિલીઝ કરશે. પ્રથમ ભાગ બ્રહ્માસ્ત્રઃ શિવ ભાગ 1 રિલીઝ થઈ ગયો છે. હવે તેના બીજા ભાગ એટલે કે બ્રહ્માસ્ત્રઃ દેવ ભાગ 2 વિશે ચર્ચા છે. અયાને ફિલ્મના બીજા ભાગ વિશે કેટલીક વાતો શેર કરી છે. તેણે કહ્યું છે કે તેનો બીજો ભાગ 2025માં રિલીઝ થશે. જો કે, તેણે ફિલ્મના લીડ સ્ટારને લઈને સસ્પેન્સ જાળવી રાખ્યું હતું, પરંતુ હવે તેનું સસ્પેન્સ ખુલ્લું પડી ગયું છે. ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની(Vinod Chopra) પત્ની અનુપમા ચોપરાએ (Anupama Chopra) આકસ્મિક રીતે ફિલ્મના બીજા ભાગને લઈને મોટો ખુલાસો કર્યો છે. અનુપમાએ વાતચીત દરમિયાન જણાવ્યું કે મેકર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે બીજો ભાગ બનાવશે.

જ્યારથી અનુપમા ચોપરાએ બ્રહ્માસ્ત્રના બીજા ભાગની કાસ્ટનો ખુલાસો કર્યો છે, ત્યારથી ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ છે. યુઝર્સ પણ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના પહેલા ભાગમાં દેવ અને અમૃતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ પાત્રો ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા ભાગની સફળતા બાદ અયાન મુખર્જી હવે બીજા ભાગના શૂટિંગની તૈયારી કરી રહ્યો છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં બીજા ભાગનું શૂટિંગ શરૂ કરશે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં નવા તારક મહેતા થી ચાહકોમાં નારાજગી- ટ્વિટર પર થયો મીમ્સ નો વરસાદ-સોશિયલ મીડિયા યુઝર્સે કરી આ માંગણી

આલિયા-રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ઓપનિંગ શાનદાર હતું. ફિલ્મે પહેલા દિવસે લગભગ 36 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની રિલીઝને 7 દિવસ થઇ ગયા છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર લગભગ 165 કરોડના આંકડાને સ્પર્શી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટનું કહેવું છે કે ફિલ્મ બીજા વીકેન્ડ પર 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મની રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર તેના બહિષ્કારની માંગ કરવામાં આવી હતી. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ તેના પર બોયકોટની કોઈ અસર જોવા મળી નથી. આ ફિલ્મમાં રણબીર-આલિયા સાથે અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો છે, જે ઘણો પ્રભાવશાળી છે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *