News Continuous Bureau | Mumbai
ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) જૈન ધર્મના ઉત્સવ(A Jain festival) દરમિયાન કતલખાના બંધ રાખવાના આદેશ ની વિરુદ્ધમાં થયેલી અરજી ને નકારી કાઢી છે. મોટી વાત એ છે કે સુનાવણી દરમિયાન ન્યાયાલય અરજી(Court application) કરનારની ઝાટકણી કાઢતાં કહ્યું કે એક બે દિવસ માંસાહાર(non-vegetarian) કરવાની જરૂર નથી. ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટ(Justice Sandeep Bhatt) સમક્ષ આ કેસની સુનાવણી થઇ રહી હતી. આ સંદર્ભે કુલ હિન્દ જમાત(Hind Jamaat) અલ કુરેશી કૃતિ સમિતિ(Qureshi Kriti Committee) નામની સંસ્થાએ કોર્ટમાં અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ(Ahmedabad Municipal Corporation) પર્યુષણ કાળ(Paryushan Kaal) દરમિયાન કતલખાના બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સંપૂર્ણ અમદાવાદમાં ફક્ત એક કતલખાનુ હોવાથી તે બંધ રહ્યું હતું. જોકે આ વાત યાચિકા કર્તાઓને(petitioners) પસંદ પડી નહોતી અને તેમણે અમદાવાદ મહાનગરપાલિકાના આદેશને પડકાર્યો હતો. ન્યાયમૂર્તિ એ આ સંદર્ભે અરજદારોને કહ્યું હતું કે તમે છેલ્લી ઘડીએ અરજી કરવા માટે શું કામ દોડો છો.
આ સમાચાર પણ વાંચો : યુપીમાં આ બેંકનું વિચિત્ર ફરમાન-હાફ પેન્ટ પહેરીને આવશો તો નહીં મળે પ્રવેશ- જાણો શું કારણ