News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદેએ(Eknath Shinde) શિવસેના(Shivsena) સામે બળવો કર્યા બાદ થાણેના ભૂતપૂર્વ મેયર(Former Mayor) નરેશ મ્હસ્કે(Naresh Mhske) શિવસેનાના જિલ્લા પ્રમુખ(Shiv Sena district president) પદેથી શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) હકાલપટ્ટી કરી હતી. જોકે આ હકાલપટ્ટીને ગેરકાયદે ગણાવીને મુખ્ય પ્રધાન(CM) બની ગયેલા એકનાથ શિંદેએ મ્હસ્કેની ફરી જિલ્લા પ્રમુખ પદ પર જ નિમણૂક કરી છે. તેથી હવે આ વ્યક્તિ શિવસેના પદ પર કહેવાય કે નહીં તેની મૂંઝવણ પક્ષના કાર્યકર્તાઓને થઈ રહી છે.
નરેશ મ્હસ્કે ગુરુવારે મોડી રાતે એકનાથ શિંદેને તેમના સરકારી નિવાસસ્થાન પર મળવા ગયા હતા. એ દરમિયાન શિંદએ તેમને ફરી થાણે જિલ્લાના(Thane district) પ્રમુખ પદ બનાવી દીધા છે. પદાધિકારીની નિમણૂક કરવાનો અધિકાર એ પક્ષ પ્રમુખને હોય છે. તેથી નરેશ મ્હસ્કેની ફરી નિમણૂક બાદ શિવસેના પ્રમુખ ઠાકરે શું પગલાં લેય છે તે જોવાનું રહેશે.
આ સમાચાર પણ વાંચો : વારંવાર હિન્દુઓ અને હિંદી ભાષાનો વિરોધ કરનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન હોસ્પીટલમાં દાખલ થયા-આવી છે હાલત
આ દરમિયાન શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ફરી પડકાર ફેંકતા હોય તેમ હિંદુત્વવાદી(Hinduism) વિચારોને અમલ મુકનારા કટ્ટર શિવસૈનિકોને પદ પરથી હટાવવાનો સામનાને કોઈ અધિકાર નથી કહીને જિલ્લાપ્રમુખોને ફરી કામે ચઢવાનો આદેશ આપ્યો હતો.