શિંદે-ફડણવીસ સરકારના ભવિષ્યને લઈને NCPના આ દિગ્ગજ નેતાએ કહી દીધી મોટી વાત-જાણો વિગત

by Dr. Mayur Parikh
From an ordinary activist to a 4 time Chief Minister, know about Sharad Pawar's political career

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં વર્તમાન સરકાર(current government) છ મહિનામાં પડી શકે છે,એવી ભવિષ્યવાણી રાષ્ટ્રવાદી કોંગેસના(NCP) પ્રમુખ શરદ પવારે(Sharad Pawar) કરી છે. શિંદે-ફડણવીસની(Shinde-Fadnavis) સરકાર તૂટી પડશે, તેથી પેટાચૂંટણીની(By-election) તૈયારીઓ શરૂ કરો તેમણે પોતાના ધારાસભ્યોને એવી સૂચના પણ આપી છે.

તાજેતરમાં એનસીપીના ધારાસભ્યોની(NCP MLA) બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે NCP પ્રમુખ શરદ પવારે ધારાસભ્યોને માર્ગદર્શન આપતાં શરદ પવારે કહ્યું કે રાજ્યમાં શિંદે સરકાર (Shinde Government) લાંબો સમય ટકશે નહીં. આ સરકાર પાંચથી છ મહિના ચાલશે. તેથી મધ્યસત્ર ચૂંટણી(Midterm elections) માટે તૈયાર થઈ જાઓ. જો તમે વિપક્ષી બેંચ(Opposition Bench) પર બેસવાના હોવ તો પણ મતવિસ્તારને મહત્તમ સમય આપો.

આ સમાચાર પણ વાંચો : શિવસેના નેતા સંજય રાઉતને માઠી બેઠી- વધુ એક મુશ્કેલી આવી સામે- હવે આ કેસમાં જારી થયું વોરંટ

શરદ પવારે નવી બનેલી સરકારમાં શિવસેનાનો પક્ષ છોડી શિંદેના ગ્રુપ સાથે જોડાયેલા લોકો બાબતે કહ્યું હતું કે શિંદે સરકારમાં અસંતુષ્ટ લોકોની મોટી ફોજ છે. આ નારાજગી કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion) બાદ સામે આવશે. તેથી બળવાખોર ધારાસભ્ય સ્વગૃહ પરત ફરે તેવી શક્યતા છે. જો સરકાર પડી તો મધ્યસત્ર ચૂંટણી થશે, માટે અત્યારથી તૈયારી કરો.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More