ભૂલ થી પણ આ રીતે ના કરશો સાવરણીનો ઉપયોગ -નહીં તો થઈ શકે છે નુકસાન-જાણો બચાવ ના ઉપાય વિશે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

આપણે ઘર સાફ કરવા માટે સાવરણીનો (broom)ઉપયોગ કરીએ છીએ. વાસ્તુશાસ્ત્રમાં (vastu shastra)સાવરણીનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સાવરણીમાં લક્ષ્મીજીનો (maa laxmi)વાસ હોય છે. તેમજ જે ઘરમાં નિયમિત સ્વચ્છતા રહે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને લક્ષ્મીજીની વિશેષ કૃપા રહે છે. પરંતુ ક્યારેક લાખો સફાઈ કર્યા પછી પણ આપણે આર્થિક સંકટમાંથી પસાર થઈએ છીએ. વાસ્તુ અનુસાર ખોટી રીતે ઝાડુ કાઢવાથી  નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સાવરણી સંબંધિત કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઘરમાં અપનાવવાથી હંમેશા સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઘરમાં હંમેશા પ્રગતિ રહે છે. ચાલો જાણીએ એ ઉપાય શું છે

1. વાસ્તુશાસ્ત્રમાં કોઈપણ કાર્ય કરવા માટે સમય(time) ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ કામ કરવા માટે યોગ્ય સમય નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઝાડુ કરવા માટે સૌથી યોગ્ય સમય સવારે 5 થી 9 છે. જો કે, તમે સૂર્યાસ્ત પહેલા એટલે કે સાંજે 6 વાગ્યા પહેલા ક્યારેય પણ ઝાડુ લગાવી શકો છો. 

2. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે 6 વાગ્યા પછી ઝાડુ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો(negative) વાસ થાય છે અને માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. રાત્રે ઘર સાફ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે અને ઘરમાં તણાવની સ્થિતિ રહે છે.

3. વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)અનુસાર સાવરણીને હંમેશા પૈસાની જેમ છુપાવીને રાખવી જોઈએ. સાવરણી હંમેશા જમીન પર પડેલી રાખવી જોઈએ.

4. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં સાવરણીને પૈસાની જેમ છુપાવીને (hide)રાખવી જોઈએ. જ્યાં લોકોનું ધ્યાન પડે ત્યાં સાવરણી ન મુકો. કહેવાય છે કે સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બીજાની નજર ન પડે. એવું કહેવાય છે કે ખુલ્લામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઉર્જા બહાર આવે છે.

5. સાવરણી ક્યારેય ઉભી ન(standing) રાખવી જોઈએ, એવું માનવામાં આવે છે કે ઉભી સાવરણી  ખરાબ નસીબનું કારણ બને છે. તેથી સાવરણી ને  હંમેશાજમીન પર સુવડાવી ને રાખો. 

6. સાવરણી ક્યારેય રસોડામાં(kitchen)ન રાખવી જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ.આમ કરવાથી ઘરમાં ભોજનની અછત રહે છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે..

7. જો સાવરણી તૂટી ગઈ હોય, તો તેને તરત જ બદલવી નાખવી જોઈએ.તેમજ ઝાડુ કાઢતી વખતે તેને પગ(legs) વડે મારશો નહીં.

8. સાવરણી હંમેશા સહેજ વાળીને લગાવવી જોઈએ તેને ક્યારેય સીધી ઊભી (standing)ન લગાવવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : તમારા ઘરની દીવાલ પર આ રીતે કરોળિયા નું દેખાવું એ નોકરીમાં મોટી પ્રગતિ નો છે સંકેત- જાણો બીજા સંકેત વિશે જે તમારું ભાગ્ય બદલી નાખશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More