મોમોઝ ખાવાના શોખીન છો-તો યાદ રાખજો આ વાત. દેશમાં મોમોઝ ખાવાથી નોંધાયું પહેલું મોત- જાણો વિગત

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ચાઈનીઝ(Chinese) ખાવાના શોખીનો માટે એક આઘાતજનક વાત છે. તાજેતરમાં મોમોઝ(Momos) ખાવાને કારણે દિલ્હીના(Delhi) 50 વર્ષની એક વ્યક્તિનું મૃત્યુ(Died) થયું હોવાનું ચોંકાવનારી ઘટના બની છે. દેશમાં કદાચિત આ પહેલો જ એવો કેસ છે જેનું મોમોઝ ખાવાથી મોત થયું છે.

લોકોએ મોમોઝ ખાતા સમયે સાવધાન રહેવું જોઈએ. આમ કરવામાં નિષ્ફળતા મૃત્યુમાં પરિણમી શકે છે. નવી દિલ્હીમાં(New Delhi) ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ફોરેન્સિક નિષ્ણાતોએ(Forensic experts) એક મૃતક વ્યક્તિના પોસ્ટમોર્ટમ(Postmortem) બાદ દેશમાં આ પ્રકારનો પ્રથમ કેસ બહાર કાઢ્યો છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, દક્ષિણ દિલ્હીમાં(South Delhi) AIIMS પાસે સ્થિત એક રેસ્ટોરન્ટમાં(Restaurant) 50 વર્ષનો એક વ્યક્તિ મોમોઝ ખાતો હતો. અચાનક તે જમીન પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. AIIMS ખાતે પોસ્ટમોર્ટમ કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં(postmortem computed tomography) તેના ગળામાં મોમોઝ ફસાયેલા જોવા મળ્યા હતા. મૃતકની વિન્ડપાઈપની(Windpipe) શરૂઆતમાં એક ડમ્પલિંગ જેવો પદાર્થ મળી આવ્યો હતો, તે મોમોસ હોવાનું જણાયું હતું. પેટમાં દારૂ(Beer) પણ હતો. મોમોઝ ખાતી વખતે તે નશામાં હોય તેવી શક્યતા છે.

ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, આ કેસ ખૂબ જ દુર્લભ છે, તેમાંથી લોકોએ બોધપાઠ લેવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને ઈડીનું તેડું-આ મામલે તપાસ એજન્સીએ પાઠવ્યું સમન્સ-જાણો શું છે મામલો

AIIMS સાથે સંકળાયેલા ડોક્ટરના કહેવા મુજબ દર 12 લાખમાંથી એકનું મૃત્યુ થયું હોવાનો આ કેસ છે. જમતી વખતે વાયુમાર્ગના(Airway) અવરોધને કારણે અણધાર્યા મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. વિશ્વમાં 1.2 મિલિયનમાંથી એક મૃત્યુ ભોજન દરમિયાન શ્વસન અવરોધને કારણે થાય છે.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment