યાત્રીગણ કૃપયા ધ્યાન દે- મુંબઈના ‘આ’ રેલવે લાઇન પર આવતીકાલથી રહેશે 3 દિવસનો વિશેષ ટ્રાફિક બ્લોક- આ રૂટની ટ્રેનોને થશે અસર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈના લોકલ(Mumbai Local Train) મુસાફરો માટે આ મહત્વના સમાચાર છે. જો તમે સાનપાડા(Sanpada), જુઇનગર(Juinagar)થી તુર્ભે(Turbhe) સુધી મુસાફરી કરી રહ્યા હોવ તો આ સમાચાર વાંચો.

સેન્ટ્રલ રેલવે(Central Railway)ના મુંબઈ વિભાગ દ્વારા 800 એમટી રોડ ક્રેનનો ઉપયોગ કરીને રોડ ઓવર બ્રિજને પહોળો કરવા સહિતના વિવિધ માળખાકીય કાર્યો કરવામાં આવનાર છે. આ માટે શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ સાનપાડા, જુઇનગર અને તુર્ભે વચ્ચે ખાસ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે અને નેરુલ/વાશી-કોપર ખૈરાણે ડિવિઝનમાં 10મી જૂન, 11મી જૂન અને 12મી જૂન વચ્ચે રાતે 11.30 વાગ્યાથી સવારે 6.30 વાગ્યા સુધી આ કામ હાથ ધરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે

આ સમયગાળા દરમિયાન વાશી/નેરુલ/પનવેલથી થાણે સ્ટેશનથી 11.09 વાગ્યાથી સવારે 5.53 વાગ્યા સુધી ઉપડતી ટ્રાન્સહાર્બર ડાઉન રૂટ સેવા અને વાશી/નેરુલ/પનવેલથી થાણે જતી અપ ટ્રાન્સહાર્બર સેવા બપોરે 11.09 વાગ્યાથી સવારે 6.02 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. આથી જો તમે આ ત્રણ દિવસમાં આ રૂટ પર જવાના હોવ તો વૈકલ્પિક માર્ગ અપનાવો, નહીં તો યોગ્ય આયોજન કરીને બહાર નીકળો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More