સમ્રાટ પૃથ્વીરાજ ના મેકર્સને આ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટ માંથી મળી રાહત-સમયસર રિલીઝ થશે અક્ષય કુમાર ની ફિલ્મ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ (samrat prithviraj chauhan) 3 જૂને રિલીઝ થવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High court)આ ફિલ્મને લઈને દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં પૃથ્વીરાજને રાજપૂત રાજા (Rajput king)તરીકે દર્શાવવામાં આવ્યા છે પરંતુ તે ગુર્જર(Gurjar) છે. આ પછી હાઈકોર્ટમાં યશરાજ ફિલ્મ્સ (YRF)તરફથી હાજર થયેલા વકીલે કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ સંપૂર્ણપણે તટસ્થ છે અને તેમાં કોઈ જાતિનો ઉલ્લેખ નથી. આ પછી જસ્ટિસ ડિવિઝન બેન્ચે આ મામલો બંધ કરી દીધો હતો.

વાત એમ છે કે, આ અરજી ગુર્જર સમાજ સર્વ સંગઠન સભા એકતા મહાસમિતિ ના એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ રાસોના પુસ્તક(Prithviraj Raso book) પર આધારિત છે, જે પ્રખ્યાત ભારતીય કવિ ચંદબરદાઈ ની  કૃતિ છે. વકીલે દાવો કર્યો હતો કે પુસ્તકમાં પૃથ્વીરાજ ચૌહાણને ગુર્જર યોદ્ધા(Gurjar) તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેથી તેમને ફિલ્મમાં રાજપૂત રાજા તરીકે દર્શાવવા ખોટું છે. કોર્ટમાં, તેણે વિકિપીડિયા પેજ(Wikipedia page) સહિત કેટલાક લેખોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કથિત રીતે ફિલ્મના નિર્માતાઓ દ્વારા સમ્રાટ પૃથ્વીરાજને રાજપૂત રાજા તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા.જો કે, સેન્સર બોર્ડ (censor board)અને યશ રાજના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મમાં શાસકને રાજપૂત કે ગુર્જર તરીકે દર્શાવવામાં આવ્યો નથી. યશ રાજના વકીલે જણાવ્યું કે પૃથ્વીરાજ ચૌહાણને રાજપૂત રાજા ગણાવતા લેખ તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા નથી. પ્રોડક્શન હાઉસે માત્ર ફિલ્મના પોસ્ટરનું નિર્માણ અને પ્રસારણ કર્યું છે, જેમાં તેને રાજપૂત કે ગુર્જર તરીકે વર્ણવવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો: OTT પર KGF 2 ની ધમાકેદાર એન્ટ્રી-હવે તમારે યશની ફિલ્મ જોવા માટે ભાડું નહીં ચૂકવવું પડે-મેકર્સે કરી આ મોટી જાહેરાત

કોર્ટે યશરાજના વકીલોને પૂછ્યું કે પૃથ્વીરાજ ચૌહાણ રાજપૂત રાજા નથી તે સ્પષ્ટ કરવા માટે તેમને નિવેદન આપવાનો નિર્દેશ કેમ ન આપવામાં આવે. આના પર યશરાજ(YRF) ફિલ્મ્સના વકીલે જવાબ આપ્યો કે પ્રોડક્શન હાઉસ તેને ભારતીય ફિલ્મ તરીકે બતાવવા માંગે છે. કોર્ટમાં વકીલના આ નિવેદન બાદ આ કેસને બે જજોની બેન્ચે બંધ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, પૃથ્વીરાજ ચૌહાણ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More