ક્યારે આવશે ‘મિર્ઝાપુર સિઝન 3’? કાલીન ભૈયાની પત્ની બીના એ આપ્યો આ સંકેત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

'મિર્ઝાપુર' (Mirzapur)ની બંને સિઝન સુપરહિટ થયા બાદ ચાહકો આ સિઝનના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'મિર્ઝાપુર 3'માં, કાલિન ભૈયા, ગુડ્ડુ પંડિત સિવાય, તમે મુન્ના ભૈયા અને બીના ત્રિપાઠી (Rasika Duggal)ને જોશો, પરંતુ વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે, સ્ટારકાસ્ટમાં (starcast) કેટલાક વધુ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રસિકા દુગ્ગલે આ અજાણ્યા ચહેરાઓની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

'મિર્ઝાપુર સિઝન 3' (Mirzapur season 3) ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ વેબ સિરીઝની ત્રીજી સીઝનમાં હવે કાલીન ભૈયા અને ગુડ્ડુની લડાઈ એક નવી રીતે આગળ વધતી જોવા મળશે.'મિર્ઝાપુર 3'ની સ્ટારકાસ્ટની તસવીર શેર કરતાં રસિકા દુગ્ગલે કેપ્શનમાં લખ્યું- 'ગઈ રાત વિશે…જાણીતા અને અજાણ્યા લોકો સાથે. કેટલીક યાદોને ફરીથી બનાવીને અને અધૂરી યાદો સાથે નવી યાદો બનાવીને.

આ સમાચાર પણ વાંચો : 90ના દાયકાના આ પ્રખ્યાત ખલનાયકે 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર

'મિર્ઝાપુર સિઝન 3' (Mirzapur season 3) ક્યારે રિલીઝ થશે, આ સવાલ દરેકના મનમાં છે. આ સવાલનો જવાબ બીના ત્રિપાઠીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ દ્વારા આપ્યો છે. અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું- 'મિર્ઝાપુર સિઝન 3 આવશે… હવે માત્ર પ્રાઇમ વીડિયો(Amazon prime video) જ કહી શકે છે કે તે ક્યારે આવશે. હવે દરેક સારી વસ્તુ માટે રાહ જોવી પડે છે… પીરપેર્ડ રહો!'

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More