આજે હનુમાન જયંતિ પર બની રહ્યો છે ખાસ યોગ, રાશિ પ્રમાણે બજરંગ બલી ને અર્પણ કરો આ વસ્તુઓનો ભોગ, દૂર થશે બધી પરેશાનીઓ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ચૈત્ર મહિનાની પૂનમે દર વર્ષે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આ વખતે તે તારીખ 16 એપ્રિલ છે. આ દિવસે મા અંજનીના કોખથી રામભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આ વખતે હનુમાન જયંતી શનિવારના છે, આ કારણથી આ દિવસને વધારે ખાસ માનવામાં આવી રહ્યો છે. મંગળવાર અને શનિવારે જ્યારે હનુમાન જયંતી હોય છે ત્યારે તેનું મહત્વ વધારે હોય છે. આ કારણથી આ વખતે હનુમાન જયંતી શનિદેવને પ્રસન્ન કરવાની રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

તમારી રાશિ પ્રમાણે ભગવાન હનુમાનજીને ભોગ ચઢાવો

મેષ – આ રાશિના લોકોએ હનુમાનજીને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ.

વૃષભ – આ રાશિના લોકોએ હનુમાન જયંતિ પર તુલસીના બીજ અર્પણ કરવા જોઈએ.

મિથુન – આ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરતી વખતે તુલસીના પાન ચઢાવવા જોઈએ.

કર્ક – આ રાશિના જાતકોએ ગાયના ઘીમાંથી બનાવેલ ચણાના લોટની ખીર અર્પણ કરવી જોઈએ.

સિંહ – આ રાશિના લોકોએ હનુમાનજીને જલેબી ચઢાવવી જોઈએ.

કન્યા – આ રાશિના લોકોએ ભગવાનને ચાંદીના વર્કવાળી મિઠાઈ અર્પણ કરવી જોઈએ.

તુલા – આ રાશિના જાતકોએ મોતીચૂરના લાડુ ચઢાવવા જોઈએ.

વૃશ્ચિક – આ રાશિના જાતકોએ ગાયના ઘીમાં બનેલા ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ.

ધન – આ રાશિના લોકો માટે હનુમાન જયંતિ પર લાડુ અને તુલસીના પાન ચઢાવવા જોઈએ.

મકર – આ રાશિના લોકોએ મોતીચૂરના લાડુ ચઢાવવા જોઈએ.

કુંભ – આ રાશિના લોકોએ હનુમાન જયંતિ પર લાલ કપડા અને લાડુ ચઢાવવા જોઈએ.

મીન – આ રાશિના લોકોએ હનુમાન જયંતિના દિવસે પવનપુત્રને લવિંગ અર્પણ કરવું જોઈએ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More