શું મહેન્દ્ર બાહુબલી બનશે પ્રભાસ? એસએસ રાજામૌલીએ ફિલ્મ પર ચાલી રહેલી અટકળો પર તોડ્યું મૌન; જાણો વિગત

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બાહુબલીના ત્રીજા ભાગને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. સુપરસ્ટાર પ્રભાસે પોતે આ ફિલ્મના ત્રીજા ભાગ ને લઈને નિવેદન આપીને ચાહકોનો ક્રેઝ સાતમા આસમાને પહોંચાડ્યો હતો.ફિલ્મ ‘રાધે શ્યામ’ ના પ્રમોશન દરમિયાન આપેલા ઈન્ટરવ્યુમાં સુપરસ્ટાર પ્રભાસે બાહુબલી 3 તરફ ઈશારો કર્યો હતો. તેણે કહ્યું હતું કે જો દિગ્દર્શક રાજામૌલી ઈચ્છશે તો આ ફિલ્મ બનશે. સુપરસ્ટાર પ્રભાસે કહ્યું હતું કે આ ફિલ્મ હંમેશા તેના દિલની નજીક રહેશે કારણ કે તેણે તેની કારકિર્દીને નવી દિશા આપી છે. હવે ખુદ દિગ્દર્શક રાજામૌલીએ પણ બાહુબલી 3 અંગેની ચર્ચા પર મૌન તોડ્યું છે.

નિર્દેશક એસએસ રાજામૌલી આ દિવસોમાં પોતાની ફિલ્મ RRRના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન દિગ્દર્શક રાજામૌલીએ બાહુબલી 3 અંગે ચાલી રહેલી અટકળો પર મૌન તોડ્યું છે.ઈન્ટરવ્યુ દરમિયાન એક સવાલના જવાબમાં તેણે કહ્યું, 'બાહુબલી વિશે ઘણી વખત ઘણી વસ્તુઓ થઈ છે. અમે આના સંદર્ભમાં ઘણા પરિમાણો શોધી રહ્યા છીએ. નિર્માતા શોભુ યરલાગડા પણ તેના પર કામ કરી રહ્યા છે.બાહુબલીની ટીમ તરફથી ટૂંક સમયમાં ચોક્કસ કોઈ રોમાંચક સમાચાર મળશે. નિર્દેશક એસએસ રાજામૌલીના આ નિવેદનથી ફિલ્મ બાહુબલી 3ને લઈને આશાઓ વધી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : પીએમ મોદીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કર્યા વખાણ, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આ રીતે વ્યક્ત કર્યો તેમનો આભાર

બાહુબલી પછી, નિર્દેશક એસએસ રાજામૌલી તેની આગામી ફિલ્મ RRR માં વ્યસ્ત થઈ ગયા હતા . આ ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર જોવા મળશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અભિનેતા અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મ 27 માર્ચે સિનેમાઘરોમાં પહોંચી રહી છે. આ ફિલ્મ એક સાથે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓ સહિત કેટલીક વિદેશી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More