મહાવિકાસ આઘાડી સરકારના મંત્રી નવાબ મલિકના રાજીનામા માટે ભાજપ અડગ, આ તારીખે મુંબઈમાં કાઢશે મોરચો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,

શનિવાર,

મહારાષ્ટ્રમાં નવાબ મલિકની ધરપકડ બાદ સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. 

ભાજપ સતત નવાબ મલિકના રાજનામાંની માગં કરી રહ્યું છે. 
 
આ કડીમાં ભાજપ આગામી 9 માર્ચ, 2022ના રોજ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ‘નવાબ મલિકને હટાવ… મુંબઈ બચાવ..’ મોરચો કાઢશે.

ભાયખલા વિસ્તારમાં વીર જીજામાતા ઉદ્યાનથી આઝાદ મેદાન સુધી આ વિશાળ મોરચો કાઢવામાં આવશે.

શુક્રવારે ચર્ચગેટની કેસી કોલેજમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉપરોક્ત નિયમ લેવામાં આવ્યો છે.  

આ પ્રસંગે મુંબઈના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, મુંબઈના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખ/મહામંત્રી, મંડળના પ્રમુખ, વોર્ડ પ્રમુખ, મુંબઈ સેલ-એલાયન્સના વડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈ સહિતના મેટ્રો શહેરોમાં સરકારના આ નિર્ણયથી ઘર ખરીદવા મોંધા પડશેઃ પહેલી એપ્રિલથી આ નિર્ણય અમલમાં આવશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More