ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા જંગથી હાલત અત્યંત ખરાબ થઈ રહી છે.
આ તમામની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે.
નવી એડવાઈઝરી મુજબ ત્યાં ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે.
MEA તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, બોર્ડર પોસ્ટ પર ભારત સરકારના અધિકારી સાથે સલાહ લીધા વગર ન જવું.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી શરૂ થઈ ગઈ છે. રોમાનિયાના રસ્તે આ તમામને સ્વદેશ પાછા લાવવામાં આવી રહ્યા છે.
#UkraineRussiaCrisis All Indian citizens are advised not to move to any of the border posts without prior coordination with GoI officials at border posts: Embassy of India in Kyiv, Ukraine in an advisory to Indian nationals pic.twitter.com/K2Yeu2YxwP
— ANI (@ANI) February 26, 2022