મહારાષ્ટ્રના કોલ્હાપુરના આ શહેરમાં સ્થિત કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કરોડોની સંપત્તિ થઈ બળીને ખાખ; જુઓ વિડિયો, જાણો વિગતે… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

સોમવાર.

મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં આવેલા ઇચલકરંજી શહેરમાં આજે સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર આગ સવારે 9 વાગે લાગી હતી. ટેક્સટાઈલ પાર્કમાં આવેલી આ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફાટી નીકળી હતી. જ્વાળાઓ ખૂબ જ ઝડપથી ફેલાય હતી. જોકે સદનસીબે કર્મચારીઓની રજા હોવાથી ફેક્ટરીમાં કોઈ હાજર નહોતું. આના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફેક્ટરીમાં રાખવામાં આવેલ કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. એકંદરે અત્યાર સુધીમાં 2 કરોડના માલસામાનના નુકસાનના સમાચાર છે.

SCના વકીલોને ફરી આવ્યો રેકોર્ડેડ કોલ, ‘આ’ દિવસે દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવાની આપી ધમકી; જાણો વિગતે

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.  આગ લાગવાના સંપૂર્ણ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવેલા ઇચલકરંજી શહેરમાં કાપડ બનાવવાનું કામ ખૂબ જ ફેલાયેલું છે. અહીંનો પાવરલૂમ ઉદ્યોગ દેશભરમાં પ્રખ્યાત છે.  

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More