છૂટાછેડા પછી પણ ધનુષ અને ઐશ્વર્યા નથી છોડી રહ્યા એકબીજાનો સાથ, આ કારણ આવ્યું સામે; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022  

 સોમવાર 

સાઉથ ફિલ્મોનો સુપરહિટ એક્ટર ધનુષ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. હાલમાં જ તે તેની પત્ની ઐશ્વર્યાથી અલગ થઈ ગયો છે. આ અલગ થવાને કારણે ધનુષ અને ઐશ્વર્યા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે.ધનુષ અને ઐશ્વર્યાએ આ રીતે 18 વર્ષ ના લગ્ન જીવન ના અંત ની જાહેરાત થી  બધા દંગ રહી ગયા. ધનુષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ફેન્સને તેના અલગ થવાની માહિતી આપી હતી. દરમિયાન, હવે એવા અહેવાલો છે કે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત એક જ હોટલમાં રોકાયા છે.

હાલમાં જ એક મીડિયા હાઉસે એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે પૂર્વ કપલ ધનુષ અને ઐશ્વર્યા હાલમાં હૈદરાબાદની એક હોટલમાં સાથે રહે છે. આ રિપોર્ટ અનુસાર હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં 'સ્ટાર હોટેલ' છે અને બંને આ હોટલમાં રોકાયા છે.જોકે બંને અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તે સંબંધમાં હોટલમાં રોકાયા છે. તમને જણાવી દઈએ કે, આ એક એવી હોટલ છે જ્યાં રામોજી રાવ સ્ટુડિયોમાં શૂટિંગ કરનાર મોટાભાગની હસ્તીઓ રોકાય છે.તમને જણાવી દઈએ કે, ધનુષ પોતાના કામના સંબંધમાં આ હોટલમાં રોકાઈ રહ્યો છે અને ઐશ્વર્યા તેના એક ગીતના કારણે ત્યાં રોકાઈ રહી છે. એવા અહેવાલો છે કે ધનુષ અને ઐશ્વર્યાને જાણ નથી કે બંને એક જ હોટલમાં રોકાયા છે. તે જ સમયે, બંને વચ્ચે કોઈ વાતચીત થઈ છે કે કેમ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

અનુપમા ફેમ સમરે તેની લવ લાઈફ વિશે કર્યા રસપ્રદ ખુલાસા! કરી ચુક્યો છે ઉર્ફી જાવેદને ડેટ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને બે પુત્રો પણ છે, જેમના  નામ યાત્રા અને લિંગા  છે. ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન  ને 18 વર્ષ થયા અને 18 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. તે જ સમયે, અભિનેતાના પિતાએ કહ્યું હતું કે તેઓ બંને પારિવારિક ઝઘડાને કારણે અલગ થયા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More