શહીદોના સન્માન સમી ‘અમર જવાન જ્યોતિ’ ઈન્ડિયા ગેટ પર નહીં પણ હવે અહીં પ્રજ્વલિત થશે; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022          

શુક્રવાર.

દેશની રાજધાની નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર 24 કલાક ચાલુ રહેતી અમર જવાન જ્યોતિ હવે જોવા નહીં મળે.   

પ્રાપ્ત જાણકારી મુજબ આ મશાલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે આજે વિલીન કરી દેવાશે. જે ઈન્ડિયા ગેટની બીજી બાજુથી માત્ર 400 મીટર દૂર સ્થિત છે. 

એટલે કે હવે આ મશાલ નેશનલ વોર મેમોરિયલમાં જ આ જ્યોતિ પ્રગટશે. 

આ પાછળનો તર્ક એ છે કે બે જગ્યાએ જ્યોત (મશાલ) જાળવવી ખૂબ મુશ્કેલ બની રહી છે.

અમર જવાન જ્યોતિના તરીકે ઓળખાતી શાશ્વત જ્વાલા 1972માં ઈન્ડિયા ગેટ આર્ચની નીચે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બનાવવામાં આવી હતી. 

પાકિસ્તાનમાં પ્રોફેટ મુહમ્મદના વ્યંગચિત્રો મોકલવા પર યુવતીને મૃત્યુદંડની સજા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More