દેશમાં ફરી બેકાબૂ બન્યો કોરોના, એક જ દિવસમાં 90 હજારથી વધુ કેસ આવ્યા સામે; જાણો આજના ચિંતાજનક આંકડા 

by Dr. Mayur Parikh
As Covid cases spike, Centre asks these six states to keep a strict vigil

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022

ગુરુવાર

દેશમાં જીવલેણ કોરોના વાયરસની ગતિ વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 71,381ના વધારા સાથે 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 2630 કેસ નોંધાયા છે.  

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને બે લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. તે જ સમયે, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 876 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 19 હજાર 206 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 411 હજાર 9 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

લોકડાઉન ટાળ્યું પણ રાત્રી કર્ફ્યુની જાહેરાત, આ રાજ્યમાં કોરોના વકરતા નાઈટ કર્ફ્યૂનો લેવાયો નિર્ણય; જાણો વિગતે

દેશમાં અત્યાર સુધીમાં 2630 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા છે. દેશમાં આ વેરિયન્ટથી સંક્રમિત રાજ્યોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે. આ પછી રાજસ્થાન ત્રીજા નંબર પર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 797 લોકો, દિલ્હીમાં 465 અને રાજસ્થાનમાં 236 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોરોના રસીના 148 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 91 લાખ 25 હજાર 99 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 148 કરોડ 67 લાખ 80 હજાર 227 ડોઝ આપવામાં આવ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More