શો ‘અનુપમા’ માટે ગૌરવ ખન્ના ન હતા નિર્માતાઓની પહેલી પસંદ,ગૌરવ પેહલા આ કલાકારોને ઓફર કરવામાં આવ્યો હતો અનુજનો રોલ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

મંગળવાર

ટીવી શો 'અનુપમા' લોન્ચ થયા બાદથી જ TRPમાં છે. 'અનુપમા' 13 જુલાઈ 2020 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર બાદ દોઢ વર્ષ વીતી ગયું છે, પરંતુ તે TRPમાં નંબર 1 રહી છે. એવું માત્ર એક કે બે વાર થયું, જ્યારે 'અનુપમા' પ્રથમ સ્થાનેથી સરકીને બીજા સ્થાને આવી ગઈ.આ શોની સફળતાનો શ્રેય નિર્માતા રાજન શાહી અને અદભૂત સ્ટાર કાસ્ટને જાય છે. રાજન શાહી જે પ્રકારની વાર્તા પ્રેક્ષકોની સામે લાવ્યા હતા તેને સૌએ ઉપાડી લીધી હતી. અનુપમાથી લઈને વનરાજ અને કાવ્યા સુધી દરેક પાત્ર દર્શકોના દિલમાં વસી ગયું.'અનુપમા'નું એવું જ એક પાત્ર છે, જે લોકોના દિલમાં વસી ગયું છે. ખાસ વાત એ છે કે શોમાં આ પાત્રની એન્ટ્રીમાં વધુ સમય નથી લાગ્યો. આ પાત્ર અનુજ કાપડિયાનું છે, જે ગૌરવ ખન્નાએ ભજવી રહ્યો છે.શોમાં રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમા સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે અનુજ કાપડિયાના રોલ માટે ગૌરવ ખન્ના નિર્માતાઓની પહેલી પસંદ ન હતા?

આ ભૂમિકા અગાઉ ટેલિવિઝન ઉદ્યોગના ચાર અગ્રણી કલાકારોને ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેનો ફાયદો ગૌરવ ખન્નાને થયો. આ રોલ શરૂઆતમાં ગુરમીત ચૌધરી, કરણ પટેલ, અરહાન બહેલ અને ગૌતમ ગુલાટીને ઓફર કરવામાં આવ્યો હતો.એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ ગુરમીત ચૌધરીએ આ ઑફર ઠુકરાવી દીધી કારણ કે તે આ પાત્ર સાથે પોતાને રિલેટ કરી શકતો ન હતો. 'યે હૈ મોહબ્બતેં' ફેમ કરણ પટેલ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. કરણે અંગત કારણોસર આ રોલ કરવાનો ઇનકાર કર્યો હતો. અરહાન બહેલે પણ તેની અગાઉની કામ પ્રતિબદ્ધતાને કારણે આ રોલનો ઇનકાર કર્યો હતો. તે જ સમયે, ગૌતમે પણ આ રોલ ના પાડી દીધો કારણ કે તે ટીવીમાંથી ફિલ્મોમાં આવ્યો છે.

વેલ, માત્ર અનુજ કાપડિયા જ નહીં પરંતુ રૂપાલી ગાંગુલી પણ 'અનુપમા'ના લીડ રોલ માટે પહેલી પસંદ નહોતી. તેમની પહેલાં, નિર્માતાઓએ મોના સિંહ, ગૌરી પ્રધાન, જુહી પરમાર, સાક્ષી તંવર, શ્વેતા સાલ્વે અને શ્વેતા તિવારીનો પણ સંપર્ક કર્યો હતો. અહેવાલો અનુસાર, ઓછી ફી અને અન્ય વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને કારણે કેટલાકે ભૂમિકા નકારી કાઢી હતી.

વિકી કૌશલ મુશ્કેલીમાં મુકાયો,ઈન્દોરમાં અભિનેતા સામે થઈ પોલીસ ફરિયાદ, લાગ્યો આ આરોપ; જાણો વિગત

મીડિયા સાથેની ખાસ વાતચીતમાં અભિનેતાએ કહ્યું કે તે અનુપમામાં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું, “હું હંમેશા રાજન શાહી સર સાથે લાંબા સમયથી કામ કરવા માંગતો હતો અને જ્યારે મને આ પાત્ર ભજવવાની તક મળી ત્યારે હું ખૂબ જ ખુશ થયો અને આ તકને ઝડપી લીધી. મારા રોલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મને અનુજ કહીને બોલાવે છે અને હું ખૂબ જ ખુશ અનુભવું છું.ઘણા લોકો મને કહે છે કે તમે ચશ્માને ફેશનમાં પાછા લાવ્યા છો. મારા પાત્રને વધુ સારી રીતે બતાવવા માટે મેં તેને ઉમેર્યું છે. મને ખુશી છે કે લોકો આ પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે. હું આશા રાખું છું કે ચાહકો આ રીતે શોને પ્રેમ કરતા રહેશે.” 'અનુપમા'માં અભિનેત્રી રૂપાલી ગાંગુલી લીડ રોલમાં છે. દર્શકો અનુપમા અને અનુજની જોડીને એકસાથે જોવાનું પસંદ કરે છે. આટલું જ નહીં અનુપમા શો ટીઆરપી લિસ્ટમાં પણ નંબર વન પર છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More