મુંબઈમાં કોરોનાનું સંકટ : શહેરમાં મનપાનો 1લીથી 8મી સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય, આ તારીખ સુધી શાળાઓ રહેશે બંધ; વિગતવાર વાંચો અહીં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

સોમવાર 

મહારાષ્ટ્રની સાથે સાથે દેશભરમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને જોતા મુંબઈમાં 1થી આઠમા સુધીની 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય માત્ર મુંબઈ મહાનગરપાલિકા હેઠળ આવતી શાળાઓ માટે છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુંબઈમાં I થી VIII ની શાળાઓને 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, આ વર્ગોનું ઑનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે આ જાહેરાત કરી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બાળકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભારતની આ સ્વદેશી વેક્સિનની એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા અપાઈ મંજૂરી, સ્ટોકને કરાશે રી-લેબલ; જાણો વિગતે 
 

મુંબઈમાં 15મી ડિસેમ્બરથી 1 થી 7 સુધીની શાળાઓ શરૂ કરવામાં આવી છે. મુંબઈની મોટાભાગની શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ મુંબઈમાં દરરોજ 8,000 કોરોના દર્દીઓ જોવા મળે છે. આજે પણ એટલી જ સંખ્યામાં દર્દીઓ જોવા મળે તેવી શક્યતા છે. BMC કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલમાં 30,000 થી વધુ બેડ ઉપલબ્ધ છે. એમ સુરેશ કાકાણીએ જણાવ્યું હતું

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More