15-18 વર્ષના બાળકોના રસીકરણ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, બાળકોને ફક્ત આ જ રસી અપાશે; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 28 ડિસેમ્બર 2021

મંગળવાર 

ભારતમાં વધતા જતા ઓમીક્રોનના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ માટે ગાઈડલાઈન જાહેર કરી છે.

આ ગાઈડલાઇનમાં સરકારે 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનની રસી આપવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી છે. 

એટલે કે આ વયના લોકોને અન્ય બીજી કોઇ રસી નહીં આપવામાં આવે કેમ કે કોવેક્સિન તેમના માટે એક માત્ર વિકલ્પ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે દેશને સંબોધિત કર્યો હતો. તે સમયે તેમણે 15થી 18 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. 

દેશ દુનિયાને ડરાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ, હવે આ દેશમાં ઓમિક્રોનથી પ્રથમ મોત; જાણો વિગત 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More