મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, ગમે ત્યારે રાજીનામું આપશે ઠાકરે, દીકરો અથવા પત્ની બનશે CM: ભાજપના આ નેતાના નિવેદનથી મચ્યો ખળભળાટ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

બુધવાર.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે બીમારીના કારણે સીએમ પદ છોડી દે છે તો તેઓ પત્ની રશ્મિ અથવા પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવી શકે છે. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, તબિયત ખરાબ હોવાને કારણે મુખ્યમંત્રી 45 દિવસથી વધુ સમયથી ગાયબ છે. આવી સ્થિતિમાં તેમણે પોતાના પદનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ.

જોકે આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવેદનને ફગાવી દીધું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ ઠીક છે. 

અયોધ્યામાં દલાતરવાડી જેવો ઘાટઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જમીન થઈ ગઈ સોનાની લગડી, ધારાસભ્ય, મેયર, સરકારી અધિકારીઓ તૂટી પડયા જમીનની ખરીદી પાછળ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More