કોરોનાની રસી નહીં લો તો નોકરી જશે, આ મોટી કંપનીએ કર્મચારીઓને આપી ધમકી; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

ગુરુવાર

 

વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે ૫૩ લાખ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૨૭ કરોડ લોકો ચેપની પકડમાં આવી ગયા છે. જાેકે, ૨૪ કરોડ લોકો આ મહામારીને હરાવવામાં સફળ થયા છે.છેલ્લા ૨ વર્ષના સમયગાળાથી દુનિયા કોરોનાનો સામનો કરી રહી છે. કોરોના સામેનું એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના વેક્સિન. દુનિયાભરમાં વેક્સિન ની કામગીરી ઝડપે ચાલી રહી છે તો અમુક દેશમાં બુસ્ટર ડોઝને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે ગૂગલે કર્મચારીને ઝટકો આપ્યો છે. જે લોકો નિયમોનું પાલન નહીં કરે તેમને ૩૦ દિવસની રજા પર મોકલી દેવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન તેમને પૈસા મળી જશે. આ પછી તેમને ૬ મહિનાની રજા પર મોકલવામાં આવશે અને તેમને આ કાર્યકાળ માટે પગાર નહીં મળે. આ સમય દરમિયાન પણ જાે તેઓ નિયમોનું પાલન ન કરી શક્યા તો તે પછી તેમને નોકરી ગુમાવવી પડશે. ગૂગલે સીધી ટિપ્પણી કરી નથી, પરંતુ કહ્યું હતું કે, ‘અમે અમારા કર્મચારીઓને રસી અપાવી શકે તે માટે અમે શક્ય તેટલું બધું કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી રસીકરણ નીતિ તેમની પાછળ મજબૂતપણે ઊભી છે. કોરોના વેક્સિનેશનના નિયમોનું પાલન ન કરવા બદલ ય્ર્ર્ખ્તઙ્મી કર્મચારીઓને તેમની નોકરી ગુમાવી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આલ્ફાબેટ ઇન્ક.ના ગૂગલે તેના કર્મચારીઓને કહ્યું છે કે જાે તેઓ કોરોના રસીકરણના નિયમોનું પાલન નહીં કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને તેઓનો પગાર પણ જપ્ત કરી લેવામાં આવશે. ગૂગલના ટોચના મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને તેમની રસીકરણની સ્થિતિ જાહેર કરવા અને પુરાવા દર્શાવતા દસ્તાવેજાે અપલોડ કરવા અથવા તબીબી અને ધાર્મિક છૂટ માટે અરજી કરવા માટે ૩ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ગૂગલે કહ્યું કે તે એવા કર્મચારીઓનો સંપર્ક કરવાનું શરૂ કરશે જેમણે ૩ ડિસેમ્બર સુધીમાં તેમની રસીકરણ સ્થિતિ અપલોડ કરી નથી. ય્ર્ર્ખ્તઙ્મી દ્વારા આ તે કર્મચારીઓ માટે કહેવામાં આવ્યું છે જેમને રસી આપવામાં આવી ન હતી અને જેમની મુક્તિની વિનંતીઓ મંજૂર કરવામાં આવી ન હતી. જે કર્મચારીઓએ ૧૮ જાન્યુઆરી સુધીમાં રસીકરણના નિયમોનું પાલન ન કર્યું હોય તેઓને ૩૦ દિવસ માટે “પેઇડ એડમિનિસ્ટ્રેટિવ લીવ” પર મૂકવામાં આવશે. ત્યારબાદ તેમને છ મહિના માટે ‘અનવેતન વ્યક્તિગત રજા’ પર મૂકવામાં આવશે અને તે પછી તેમનો કાર્યકાળ સમાપ્ત થશે.

કોરોનાના ભરડામાં આવ્યો વિશ્વનો આ શક્તિશાળી દેશ, અત્યાર સુધી 8 લાખ લોકોના મોત; ઓમિક્રોનને લઈ નિષ્ણાંતોએ આપી ચેતવણી
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More