દિલ્હીમાં શાળાઓ ફરીથી લૉક, સુપ્રીમની ફટકાર બાદ કેજરીવાલ સરકાર સફાળી જાગી; જાણો હવે કેટલા દિવસ સ્કૂલો રહેશે બંધ   

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

ગુરુવાર. 

દેશની રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેજરીવાલ સરકારે ફરી મોટો નિર્ણય લીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ વાયુ પ્રદૂષણને જોતાં આગામી આદેશ સુધી ફરીથી શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, પોલ્યુશનના સ્તરને જોતા તમામ સ્કૂલોને બંધ કરવાનુ નક્કી કરાયુ છે.

છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. 

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ની લોકલ લાઇન પર ટેકનિકલ ખામી સર્જાતા, રેલ વ્યવહાર ખોરવાયો – પૂર્વવત્ થયો. જાણો વિગત, જુઓ વિડિયો.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More