મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી સુપ્રીમો શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહી આ વાત; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021 

બુધવાર.

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. 

એસટીના મર્જર પર બોલતા શરદ પવારે કહ્યું છે કે જો એસટીનું મર્જર થશે તો બાકીના કોર્પોરેશનને પણ મર્જ કરવું પડશે.સરકારી કર્મચારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓ, આશાવર્કરો છે. જો મર્જરની ફોર્મ્યુલા અનુસરવામાં આવે તો તે બધાને લાગુ પડશે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં એસટીની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મેં વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબ સાથે એસટી હડતાળ અંગે ચર્ચા કરી. 

એસટીને ક્યારેય રાજ્ય સરકાર પર આધાર રાખવો પડ્યો નથી. આટલા વર્ષોમાં ક્યારેય રાજ્ય સરકારે સ્ટેન્ડ લીધો નથી. 

જોકે શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે વિલીનીકરણના મુદ્દા પર હવે કોર્ટમાં ચર્ચા કરવામાં આવશે નહીં.

મુંબઇની જૂની ચાલીઓના રહેવાસીઓને જાહેર શૌચલયમાંથી છૂટકારો મળશે; પાલિકાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More